SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલે છે. કુમરણના ભયથી આજીવન બ્રહ્મચર્યનું વ્રત, માતાપિતાની રજા માગવી. માતાપિતાની પહેલાં વિરોધ પણ પછી અનુમતિ. શરત એ કે પહેલાં તેમણે નક્કી કર્યા પ્રમાણે આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન કરવાં. (૩) લગ્ન પછી વાસઘરમાં ચોરનો પ્રવેશ અને અસ્વાપિની વિદ્યા વડે વસ્ત્રાભરણ ચોરી જવા પ્રયત્ન. જંબૂકમારની જાગૃતિ અને એમના શબ્દોથી ચોરો નિશ્ચેષ્ટ. ચોરની માગણી કે “અસ્વાપિની વિદ્યાના બદલામાં ખંભિની' અને “મોચની વિદ્યા બૂકુમાર આપે. પોતે દીક્ષા લેવાના છે તેની જાહેરાત. (૪) સુધર્મા સ્વામી પાસે દીક્ષા, તેમની સાથે માતાપિતા, પત્નીઓ અને પ્રભવની પણ દીક્ષા. શ્રેણિકના પુત્ર કોણિકે બૂસ્વામીનાં તેજસ્વિતા અને પ્રભાવ વિષે સુધર્માસ્વામીને પ્રશ્ન કર્યો. (૫) આના જવાબમાં જબૂસ્વામીની કથા. આના અનુસંધાને અનેક કથાઓ, સંવાદો વગેરે; ઉપદેશાત્મક કથાઓ અને પ્રતિ-કથાઓ-સળંગ કથામાં આ રીતે નાની નાની કથાઓની હારમાળા ગૂંથી લેવામાં આવી છે. દીક્ષાની તરફેણમાં અનેક કથાઓ આપી છે. એકબાજુ ભોગ વિલાસ અને તેનાથી આવતાં દુઃખો અને બીજી બાજુ સંયમ-ઉપશમ અને તેનાથી જન્મતા સુખની કથાઓ અહીં આપી છે. એમ કહેવાય છે કે ઉપાધ્યાયજીએ પહેલાં શ્રી અંબૂસ્વામી બ્રહ્મગીતા નામક નાનકડી રચના કરી. અને તે પછી બીજે જ વર્ષે આ વિશાળ “જબૂસ્વામીના રાસ” ની રચના કરી પાંચ અધિકરણમાં ક્રમશઃ ૫, ૮, ૯, ૭, અને ૮ ઢાળોમાં અને તે પણ ક્રમશઃ ૧૩૫, ૨૨૦, ૨૩૭, ૧૭૮ અને ૧૫૪ કડીઓમાં. એ રીતે આ વિશાળ રાસની રચના થઈ છે. અઢારમી સદીમાં પદ્યમય દીર્ઘ રચના એટલે કે પ્રબંધના અનેક પ્રકાર, આખ્યાન, ચોપાઈ વગેરેના જેવો આ રાસ એ પણ એક સર્વ લોકભોગ્ય પ્રકાર છે. જનસામાન્યને ગ્રાહ્ય બને, વિશેષ પ્રભાવોત્પાદક લાગે તથા વૈરાગ્ય અને સંયમના વિજયના પાઠ સામાન્ય જનોના હૃદયમાં ઊતરે એ આ રાસોનો મુખ્ય ઉદ્દેશ છે. અને આચાર્યોના ઉપદેશો, આગમો, તત્ત્વદર્શનના ગ્રંથો વગેરેની તુલનાએ જનસામાન્યના હૃદયને આવા રાસ ( પશોભાવતી H T૦
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy