________________
જબૂરવામી રાસ'']
આ. શ્રી જયચંદ્રસૂરિજી મ.
જબૂસ્વામીની કથા જૈન સમાજને અતિ પરિચિત છે. જૈન દર્શનની પરંપરા અનુસાર જેબૂસ્વામી એ છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામી પછી શ્રી સુધર્મોસ્વામીની વાટે આવનાર ઐતિહાસિક વ્યક્તિ છે. એમનો નિર્વાણ સમય વીર સંવત ૬૪ એટલે કે ઈ.સ. પૂર્વે ૪૬૨નો ગણાય છે. આઠ સ્ત્રીઓ સાથે વિવાહ થવા છતાં પહેલેથી જ બ્રહ્મચર્ય પાળનાર અને દીક્ષિત થઈ આત્મકલ્યાણ સાધનાર તરીકે જંબૂસ્વામી વિખ્યાત છે. રાસ, સક્ઝાય, ચોપાઈ, ચરિત, શ્લોકો વગેરે મળી લગભગ ૪૦ કૃતિઓ જેબૂસ્વામી પર રચાયાની માહિતી અદ્યાપિ ઉપલબ્ધ છે.
યશોવિજયજીના જીવનની “જબૂસ્વામી રાસ”એ ઉત્તરાવસ્થાની રચના છે. એમ લાગે છે કે છઠ્ઠી સદીના “વસુદેવહિંડી” અને પુરોગામી આચાર્ય હેમચન્દ્રસૂરિવર્યના “ત્રિશલાકા'માં આવતી જંબૂસ્વામીની કથાનો તેમણે મુખ્ય આધાર લીધો છે. “શ્રી બૂસ્વામીના ચરિત્ર વિશે સંસ્કૃત-પ્રાકૃતમાં રચનાઓ થયેલી છે અને તેમાં શ્રી હેમચંદ્રાચાર્યની રચના વધુ વિસ્તૃત અને સમર્થ છે, એટલે તેનો આધાર આ રાસની રચના માટે લેવાય એ સ્વાભાવિક છે.”
પ્રસિદ્ધકથા, જેઆરાસમાં મળે છે તેમાં મુખ્યઘટનાઓ આ પ્રમાણે છેઃ
(૧) મગધા નામે જાનપદમાં, રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે, ત્યાં વસતા ઋષભદત્તની પત્ની ધારિણીને આવેલાં પાંચ સ્વાન અને ઋષભમદત્તની આગાહી કે તેને પ્રભાવશાળી પુત્ર જન્મશે. જંબૂકુમારનો જન્મ.
(૨) યુવાવસ્થામાં સુધર્મા સ્વામી ગણધરનો ઉપદેશ સાંભળી દીક્ષા લેવા પ્રેરણા અને માતાપિતાની આજ્ઞા મેળવવા જવું. નગરમાં યુદ્ધની તૈયારી
T
Hવામી વાસ છે. ૩૯