________________
(૭) પદાર્થ-વાયાર્થ-મહાવાક્યર્થ જ્ઞાનને ક્યા જ્ઞાનમાં ગણવું? (૮) તે ચારે પ્રકારના બોધની ઘટના કઈ રીતે કરવી ? (૯) ચૌદ પૂર્વના પટસ્થાનપતિત બોધને ક્યા જ્ઞાનમાં ગણવો ? આ પ્રશ્નોના ખુલાસા સવિસ્તર જણાવીને અવગ્રહાદિના ક્રમમાં પ્રયોજન, અવગ્રહના ભેદ, સ્વરૂપ, તેના પ્રામાણ્યાદિનો નિર્ણય, સમ્યકત્વને લઈને જ જ્ઞાનને પ્રમાણ તરીકે ગણી શકાય, સ્યાદ્વાદનું સ્વરૂપ, એક પદાર્થના જ્ઞાનથી સર્વ પદાર્થોનું જ્ઞાન, અવગ્રહાદિ ભેદોમાં જ્ઞાન-દર્શનની યોજના વગેરે બીના મતિજ્ઞાનના પ્રસંગે સ્પષ્ટ જણાવી છે. શ્રતજ્ઞાનના વર્ણનમાં-સ્વરૂપભેદ, અતિશ્રુતમાં તફાવત વગેરે જણાવ્યું છે. અવધિજ્ઞાનના વર્ણનમાં - લક્ષણ, ભેદ, પરમાવધિ, મન:પર્યવ જ્ઞાનથી ભિન્નતા જણાવી છે. મન:પર્યવ જ્ઞાનના વર્ણન-લક્ષણ, ચિંતિત પદાર્થને જાણવાની રીત, મન:પર્યવ જે મન જણાય તેનું સ્વરૂપ વગેરે બીના વર્ણવી છે. પાંચમા કેવલજ્ઞાનના વર્ણનમાં તેનું લક્ષણ, સર્વજ્ઞતાની સિદ્ધિ, તેનું પ્રામાણિકપણું, કેવલજ્ઞાનાવરણના ક્ષયની આવશ્યકતા, કર્મનું આવારપણું, કફશુકાદિથી લોભાદિની ઉત્પત્તિને સ્વીકારનારના મતનું ખંડન, નૈરાભ્યભાવ માનનાર મતનું ખંડન, પારમાર્યાદિક ત્રણ શક્તિ, દષ્ટિસૃષ્ટિવાદનું ખંડન, બ્રહ્મવિષય અને બ્રહ્માકારવૃત્તિનું અધ્યાસનું-અજ્ઞાનકલ્પનાનું ખંડન, દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સૂક્ષ્મ વિચારશ્રેણી જણાવી છે. છેવટે મલ્લવાદિ શ્રી સિદ્ધસૈન દિવાકર તથા જિનભદ્રમણિના કેવલજ્ઞાન-દર્શન અને તેના ઉપયોગની બાબતમાં વિચારો જણાવી સમ્મતિતની તે વિષયની ગાથાઓનું સ્પષ્ટવિવેચન દર્શાવી નયવાદની અપેક્ષાએ તેનું એકીકરણ બતાવ્યું છે.
૧૪. જ્ઞાનસાર - આ ગ્રંથમાં જુદા જુદા પૂર્ણતા વગેરે ૩૨ પદાર્થોનું આઠ આઠ લોકમાં બહુ જ સરસ વર્ણન સંક્ષેપમાં કર્યું છે – આની ઉપર પોતે બાલાવબોધ (ટબો) પણ કર્યો છે, એમ નીચેના શ્લોકથી સાબિત થાય છે..
एN:वृंदनतं नत्वा वीरं तवार्थदेशिनम् ।
aઈ : શ્રીશાન તારા નિયતે તો માણસા | આ ગ્રંથ ઉપર પાઠક શ્રી દેવચંદજીએ અને પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ સંસ્કૃત ટીકા રચી છે.
૧૫. ઐન્દ્રસ્તુતયા - આમાં શ્રી શોભનસ્તુતિના જેવી સ્તુતિઓ
બનાવી છે.