SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ દયાની તરતમતા વગેરે જણાવ્યું છે. (૪) ક્રિયામાં અપ્રમાદ-આમાં મુક્તિદાયક સાધનોની સાધના કરવાની તીવ્ર અભિલાષા, ઉપદેશ કરવાને લાયક ગુણો, દાન, પાત્ર વગેરેની બીના જણાવી છે. (૫) શક્યક્રિયાઆદરલક્ષણમાં અનુષ્ઠાન વિધિ, નિર્મળ ભાવરક્ષા વગેરે બીના જણાવી છે. (૬) ગુણાનુરાગ લક્ષણમાં ગુણવંત મહાપુરુષોની કઈ રીતે પ્રશંસા કરવી વગેરે બીના જણાવી છે. (૭) ગુરુઆજ્ઞા આરાધનમાં ગચ્છવાસ, એકાકી વિચરનારને લાગતાં દૂષણો, વિહારની રીતિ, ગુરુશિષ્યના ગુણો, સત્યપ્રરૂપકની પ્રશંસા, દુષ્યમકાળમાં સાધુઓ હયાત છે વગેરે બીના જણાવી છે. આ ગ્રંથ ટીકા વિનાનો છે. મૂળ ગ્રંથ જૈન ધર્મ પ્રસારક સભાએ અધ્યાત્મસારાદિ દશ ગ્રંથોમાં છપાવ્યો છે. ૧૦. નરહસ્ય : આ ગ્રંથમાં વિસ્તારથી નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ જણાવ્યું છે. પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજે જે ગ્રંથના છેડે “રહસ્ય” શબ્દ આવે એવા ૧૦૮ ગ્રંથો રચવા ધાર્યા હતા. એમ માણાવિશુદ્ધયર્થ रहस्यपदांकितया चिकीर्षिताष्टोत्तरशतग्रंथाNतर्गतप्रभारहस्यस्याVादरहस्यादि સનાતીય પ્રજરામમોરખ્યત્વે ગ્રંથની શરૂઆતમાં જણાવેલ બીના ઉપરથી નિર્ણય થઈ શકે છે, પણ હાલ તે બધા લભ્ય નથી. કોઈ દ્વેષીએ તે ગ્રંથોનો નાશ કર્યો હોય એમ સંભવે છે. ફક્ત ભાષારહસ્ય, ઉપદેશરહસ્ય, નયરહસ્ય મળી શકે છે. પ્રસ્તુત નયરહસ્યમાં – નયનું લક્ષણ, તેના પર્યાયો, તેને માનવાની જરૂરિયાત, નયોમાં માંહોમાંહે અવિરોધ વગેરે બીના દાખલા દલીલ સાથે સમાવી છે. નયના બે ભેદ, દરેકનું લક્ષણ, પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઋજુસૂત્રને દ્રવ્યાર્થિકનો ભેદ માને છે અને શ્રી સિદ્ધસેન દિવાકર પર્યાયાર્થિકનો ભેદ માને છે-આ બંને વિચારનું સ્પષ્ટીકરણ, નયની વ્યાખ્યા જણાવતાં શ્રી અનુયોગદ્વાર સૂત્રોમાં જણાવેલાં પ્રદેશ - પ્રસ્થકવસતિનાં ઉદાહરણ દર્શાવ્યાં છે. તત્ત્વાર્થ, વિશેષાવશ્યક વગેરેમાં જણાવેલ નયલક્ષણોની અવિરોધ ઘટના કયો નય કયા મુદ્દાથી કેટલા નિક્ષેપોને સ્વીકારે છે. દરેક નયમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ થઈ છે? તેનું સ્વરૂપ શું? દરેક નયની પરસ્પર સાપેક્ષતા કઈ રીતે ઘટે? સહભંગીનું સ્વરૂપ શું? વગેરે બીના જણાવી છે. ૧૧. નયપ્રદીપ : સંસ્કૃત ગદ્યમય આ ગ્રંથ લગભગ ૫૦૦ શ્લોક પ્રમાણ સંભવે છે. આની ટીકા નથી. અહીં બે સર્ગ છે, તેમાં પહેલા - મહાને કયોતિરિ n ૧૫
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy