SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણ, કાલ, નય વગેરેની અપેક્ષાએ થતાં દેશનાના ભેદ વગેરે બીના જણાવી છે. ચોવીસમી સદદષ્ટિ ત્રિશિકામાં – સદ્દષ્ટિ, કાંતા, ઘારણાનું સ્વરૂપ, સ્થિરા દષ્ટિમાં થતી જીવની સ્થિતિ, પ્રભાષ્ટિમાં અસંગાનુષ્ઠાન, નિવૃત્તિ લાભ વગેરે બીના વર્ણવી છે. પચીસમી કલેશતાનોપાય નામની દ્વત્રિશિકામાં નિર્દોષ જ્ઞાન-ક્રિયાની નિર્મલ સાધના કરવાથી કલેશનો નાશ થાય છે, આ બાબતમાં અન્ય દર્શનીના વિચારોનું યુક્તિથી ખંડન કર્યું છે. છવીસમી યોગમાયાભ્ય દ્વત્રિશિકામાં-ધારણાદિ સંયમનું વિસ્તારથી સ્વરૂપ દર્શાવીને છેવટે શુદ્ધ સંયમનું સ્વરૂપ, મુક્તિપદ પ્રાપ્તિનું સ્વરૂપ વર્ણવ્યું છે. સત્તાવીસમી ભિલુભાવ દ્વાર્નાિશિકામાં - દ્રવ્યભિક્ષુ, ભાવભિક્ષુ, પર્યાયવાચક શબ્દોનું વિવરણ વગેરે બીના જણાવી છે. અઠ્ઠાવીસમી દીક્ષા દ્વત્રિશિકામાં દિક્ષા શબ્દનો નિરક્તાર્થ, વ્યુત્પત્તિથી અર્થ, દીક્ષા આપવાનો વિધિ, ક્ષમાના બે ભેદ તથા બકુશાદિની બીના જણાવી છે. ઓગણત્રીસમી વિનય દ્વાત્રિશિકામાં – જ્ઞાનાદિ પાંચ પ્રકારના કાયિક વિનયના ૮ ભેદ, વાચિક વિનયના ૪, માનસિક વિનયના ૨ ભેદ; એમ ૧૩ ભેદના દરેકમાં ભક્તિ-બહુમાન-વર્ણના-અનાશાત રૂપ ચાર ચાર ભેદ ઘટાવીને વિસ્તારથી બાવન ભેદો દર્શાવી છેવટે દીલાપર્યાયે નાના એવા પણ પાઠકને વંદન કરવું જોઈએ, એ વાત જણાવી છે. ત્રીસમી કેવલીભક્તિવ્યવસ્થાપન નામની, દ્વત્રિશિકામાં-દિગંબરો કેવલીને કવલાહાર ન હોય' એમ જે કહે છે તેનું ખંડન કર્યું છે. એક્ઝીસમી મુક્તિ કાત્રિશિકામાં અન્યમને મુક્તિનું સ્વરૂપ દર્શાવીને તેમાં અયોગ્યપણું જણાવી જૈનદર્શન પ્રમાણે યથાર્થ મુક્તિનું સ્વરૂપ જણાવ્યું છે. બત્રીસમી સજ્જનસ્તુતિ કાત્રિશિકામાં સજ્જન દુર્જનનું સ્વરૂપ, ખલવચનનું ખંડન આપીછેવટેપ્રશસ્તિ આપી છે. આબત્રીસબત્રીસીઅનેતેના ઉપર તત્ત્વાર્થદીપિકા નામના સ્વોપજ્ઞ ટીકા એ બન્નેનું શ્લોક પ્રમાણ પ૫૦૦ શ્લોક છે. ૯. યતિલક્ષણસમુચ્ચય: આ ગ્રંથમાં વાચકવર્ષે પ્રાકૃત ૨૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે તેમાં (૧) માર્ગને અનુસરતી ક્રિયા, આમાં માર્ગની વ્યાખ્યા, સિદ્ધાંતની રીતિ, આચરણાનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. (૨) શિક્ષાને લાયકપણું – આમાં વિધિસૂત્ર વગેરે સાત પ્રકારનાં સૂત્રોનું અને દેશનાનું સ્વરૂપ જણાવ્યું છે. (૩) શ્રદ્ધાલક્ષણમાં વિધિનું બહુમાન, વિધિજ્ઞાન, પચ્ચખાણ પાળવાની યોગ્યતા, વધ અને
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy