SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ મળી શકે, અનેક ગુપ્ત-દિશાઓ હાથ લાગે અને જેના આદર્શથી સંઘ/શાસનની છિન્નભિન્નતા ભેદાય અને આવકાર્ય ઐક્ય ઊગી નીકળે. મારી માન્યતા અસ્થાને નહિ પામે, એની પૂરી આશા સાથે. | | પં. અશોકસાગર ગણિવર્ય (અમદાવાદ) પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું ત્રિશતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે, તે પ્રસંગે એ મહાપુરુષની અજોડ શાસનસેવા, અર્વેિદક સિદ્ધાંત રાગ, ભક્તિ, સન્માર્ગ-સુરક્ષા અને વિશાળ આદિત્ય સર્જન આદિ અનેક અપૂર્વ ગુણો અને તેમના જે અગણિત અમાપ જૈન સંઘ ઉપર ઉપકારો છે તેને કૃતજ્ઞ ભાવે, આદર બહુમાનપૂર્વક યાદ કરીએ, પુનઃ પુનઃ અનુમોદના કરીએ અને તેમની જે સર્વતોમુખી વિરાટ પ્રતિભાનું દર્શન તેમના વિવિધ, વિશાળ સાહિત્ય સર્જનમાં થાય છે, તેનો વાસ્તવિક પરિચય તેમનાથી અપરિચિત લોકોને થાય એવાં વ્યવસ્થિત આયોજનો અત્યંત આવકારદાયક છે. [ આ. વિજયકલાપૂર્ણસૂરિશ્વરજી (ભૂજ) મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ મહારાજનો ઉપકાર આ વિષમ કાળમાં આપણા સંઘ ઉપર અજોડ જ નહિ, અનિવાર્ય અગત્યનો પણ છે. તેઓશ્રી ન થયા હોત કે તેઓશ્રી જે મસ્તયોગી આનંદઘનજીની જ કેડીએ ચાલી ગયા હોત, ગ્રંથો ન રચ્યા હોત તો આજના આપણા શ્રીસંઘની હાલત કેવી ભૂલા ભટક્યા ભ્રમિત મુસાફર જેવી થઈ પડત, તેની કલ્પના પણ કાળજાને કંપાવી મૂકે છે ! આવા અનન્ય ઉપકારી મહાપુરુષનાં તો ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. આપશ્રી આ બધી યોજનાઓ દ્વારા તેઓશ્રીની ત્રિશતાબ્દીના વર્ષમાં તેઓને અર્ધ્વરૂપ ભાવાંજલિ અર્પવાનો લાભ લઈ રહ્યા હોય, ઉપરાંત તેમાં આ પ્રવચનમાળા દ્વારા બીજાઓને પણ જોડી રહ્યા છે તે ખૂબ અનુમોદનીય ઘટના છે. મારી અનુમોદના તથા આયોજનને સફળતા ઈચ્છતી શુભેચ્છા સ્વીકારશો તેવી વિનતિ. | પં. શીલચંદ્રવિજયજી ગણિ (ખંભાત) વક્તાઓ-પ્રવચનકારોની પસંદગી સુંદર થઈ હોવાથી, વિષયો પણ - યશોભારતી n ૨૭૮
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy