SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જીવંત બનાવવા મૂર્તિમંત પ્રયત્ન સેવવા જનતામાં ચેતના આવે એ જ મંગલકામના. I આ. વિજયરાજેન્દ્રસૂરિશ્વરજી (સાંચોર) વર્તમાનકાળમાં ૧૬-૧૭ મી શતાબ્દિનો કાળ એટલે પ્રકાંડ પંડિતોનો કાળ જૈનશાસનમાં ગણાય. તેમાં જેમ મહો. શ્રી ધર્મસાગરજી મહારાજ, દશમતના વાદીઓને પરાભવિત કરી તપગચ્છનો વિજયધ્વજ ફરકાવવામાં અજોડ હતા, તેવી જ રીતે ન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાં અજબગજબની પ્રવીણતા પ્રાપ્ત કરવામાં પૂ. મહો. યશોવિજયજી મહારાજ એક જ હતા તેમ તેઓના રચેલા ગ્રંથોથી આજે પણ પ્રતીતિ થાય છે. સર્વગુણસંપન્ન તો વીતરાગદેવ જ હોય, બાકી તો કાંઈ ને કાંઈ ક્ષતિઓ મહાપુરુષોમાં પણ હોય જ. એથી પૂ. મહો. શ્રી યશોવિજયજી મહારાજમાં પણ છહ્મસ્થ સુલભ એવા દોષોના કારણે તત્કાલીન પુરુષોએ તેમના જીવનકવનની નોંધ નથી લીધી ? એવી અક્ષમ્ય ભૂલ આપણે ન કરતાં આ શુભ પ્રસંગે તેઓની પ્રચંડ તૈયાયિક બુધ્ધિને હાર્દિક પુષ્પાંજલિ અર્પિએ એવી શુભેચ્છા. 7 આ. નરેન્દ્રસાગરસૂરિશ્વરજી મ. (ચોટીલા) શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળા સમિતિએ ન્યાય વિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દી વર્ષ પ્રસંગે આ પ્રવચન માળાનું આયોજન કર્યું એને અમારા સૌના હાર્દિક અભિનંદન છે. જેમને એમના સમકાલીન બહુ શ્રુત ઉપાધ્યાયશ્રીમાન વિજયજી મહારાજ ‘સ્મારિત શ્રુત કેવલિ' તરીકે અર્થાત્ જેમણે પોતાના અતિ અગાધ સ્વપર શાસ્ત્રબોધ અને શાસ્ત્ર સાગરના નિર્માણથી ચૌદ પૂર્વધર શ્વેત કેવલી ભગવાનનું આપણને સ્મરણ કરાવ્યું છે' એ તરીકે બિરદાવે છે એવા આપણા આ મહાઉપકારી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ તપગચ્છ ગગનમાં સૂર્યશા પ્રકાશી રહ્યા છે. તેઓશ્રીએ અનેકાનેક વિષયો જેવા કે યોગ અધ્યાત્મ વૈરાગ્ય, મોક્ષમાર્ગ દર્શનો અને કાંતવાદ તથા કર્મપ્રકૃતિ આદિ જૈન સિદ્ધાન્તો વગેરે વગેરે પર મહાકાય વાડ્મયો રચીને જૈનધર્મોને મૌલિક અને તાત્ત્વિકરૂપે સમજવાને વર્તમાન કાલીન ધર્મજિજ્ઞાસુ અને તત્ત્વપિપાસુ જીવોને અઢળક યશોભારતી ૩ ૨૭૬
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy