SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શો ? (૩) ગુરુ કેવા હોય? (૪) શુદ્ધાશુદ્ધભાવનાં કારણો કયાં કયાં હોઈ શકે ? (૫) ભાવવૃદ્ધિ શાથી થાય? (૬) કેવળ નિશ્ચયવાદી સ્વમતને પોષવા માટે કઈ કઈ દલીલો રજૂ કરે છે? (૭) સિદ્ધાંતી તે (નિશ્ચય) વાદનું કઈ રીતે ખંડન કરે છે ? – આ સાતે પ્રશ્નોનો સ્પષ્ટ ખુલાસો છે. બીજા ઉલ્લાસમાં - ગુરુનું લક્ષણ જણાવતાં સગર, વ્યવહારી, વ્યવહર્તવ્ય, વ્યવહારના પાંચ ભેદ, પ્રાયશ્ચિત્ત, તેને લેવાનો તથા દેવાનો અધિકારી; એ જણાવીને છેવટે શુદ્ધ વ્યવહારને પાળનાર સુગરનું માહાત્મ દર્શાવવાપૂર્વક વ્યવહાર – ઘર્મને આદરવા સૂચના કરી છે. ત્રીજા ઉલ્લાસમાં-ઉપસંપતુની વિધિ, કુગરની પ્રરૂપણા, પાર્શ્વસ્થ વગેરેનું સ્વરૂપ જણાવીને છેવટે કુગરને તજવાનું અને સુગુરુની સેવા કરવાનું જણાવ્યું છે. ચોથા ઉલ્લાસમાં પાંચે નિગ્રંથોનું સ્વરૂપ છત્રીસ દ્વારને ઘટાવી જણાવ્યું છે. છેવટે ગ્રંથકારે પ્રશસ્તિ વગેરે બીના જણાવીને ગ્રંથ પૂર્ણ કર્યો છે. ૮. દ્વાત્રિશદ્ધાત્રિશિકા (બત્તીસાબત્તીસી) : આ ગ્રંથમાં ગ્રંથકારે દાન વગેરે ૩૨ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જણાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે અને દરેક વિભાગને બત્રીસ બત્રીસ શ્લોકમાં સંપૂર્ણ કરેલા હોવાથી આનું યથાર્થ નામ કાત્રિશલાત્રિશિકા પાડ્યું છે. તેમાં પહેલી દાનદ્ધાત્રિશિકામાં – ગ્રંથકારે દાન સ્વરૂપ જણાવતાં કયા દાનમાં એકાંત નિર્જરા થાય? અને કયા દાનમાં અલ્પ નિર્જરા થાય? વગેરે બીનાનું રહસ્ય દર્શાવ્યું છે. અને છેવટે સૂત્રકૃતાંગ સૂત્રમાં આવતા 20 માઈ' વગેરે પદોનું યથાર્થ રહસ્ય પ્રકટ કરતાં આતુર લુબ્ધક દષ્ટાંત પણ સ્પષ્ટ જણાવ્યું છે. બીજી દેશના દ્વાáિશિકામાં - (૧) દેશનાને લાયક કોણ ? શ્રોતાના ભેદ કેટલા ? શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું ? બાલ વગેરે જીવોને ઉદેશીને કેવી કેવી દેશના દેવી અને તેમાં ક્યો ક્રમ રાખવો? વગેરે પ્રશ્નોનું રહસ્ય જણાવ્યું છે. ત્રીજી માર્ગદ્વાáિશિકામાં – માર્ગના ભેદો, પ્રશસ્ત - અપ્રશસ્ત આચરણા, ધાર્મિકાભાસની પ્રવૃત્તિ, સંવિન પાલિકનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. ચોથી જિનમહત્ત્વ નામની દ્વત્રિશિકામાં - પ્રભુ શ્રીજિનેશ્વરદેવનું મહત્ત્વ સાયિક ગુણોને લઈને જ માનવું જોઈએ વગેરે બીના જણાવી છે. પાંચમી ભક્તિ નામની દ્વત્રિશિકામાં - દ્રવ્યભક્તિનું સ્વરૂપ જણાવતાં પૃથ્વીશુદ્ધિ, અપ્રીતિનો ત્યાગ, સ્નાનની જરૂરિયાત વગેરે બીના જણાવી છે. છઠ્ઠી સાધુસામગ્રય નામની દ્વત્રિશિકામાં - ત્રણ જ્ઞાન,
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy