SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) અનુમાનના બે ભેદો ક્યા? (૨૭) સાધ્ય-પક્ષસિદ્ધિનું સ્વરૂપ શું? (૨૮) દાંતની જરૂરિયાત કઈ અપેક્ષાએ સમજવી? (૨૯) હેતુનું અને તેના વિધિસાધક-પ્રતિષેધસાધક-ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ નામના ભેદોનું સ્વરૂપ શું? (૩૦) અસિદ્ધ, વિરુદ્ધ અને અને કાંતિક હેત્વાભાસનું સ્વરૂપ શું? (૩૧) આ ત્રણથી વધારે હેત્વાભાસને નહિ માનવાનું શું કારણ? (૩૨) આગમ પ્રમાણનું સ્વરૂપ શું? (૩૩) અનુમાનથી આગમની જુદાઈ કઈ રીતે સંભવે ? (૩૪) સપ્તભંગીનું સ્વરૂપ શું ? (૩૫) તે પ્રસંગે સકલાદેશ, વિકલાદેશનું અને તેના કારણભૂત કાલ-આત્મસ્વરૂપ-અર્થ- સંબંધ -ઉપકાર-ગુણિદેશસંસર્ગ – શબ્દસ્વરૂપનું સ્વરૂપ શું? આ પાંત્રીશ પ્રશ્નોના ખુલાસા પ્રથમ પ્રમાણપરિચ્છેદમાં ગ્રંથકારે જણાવ્યા છે. બીજ નય પરિચ્છેદમાં નયનું લક્ષણ અને તેના ભેદો બતાવવાના પ્રસંગે શબ્દની પંચતયી પ્રવૃત્તિ કયા નયવાળો કઈ અપેક્ષાએ માનતો નથી તે વિસ્તારથી દર્શાવીને અર્પિત, અનર્પિત, વ્યવહાર, નિશ્ચય, જ્ઞાનક્રિયા વગેરેનું ભેદપ્રદર્શનપૂર્વક સ્વરૂપ જણાવીને છેવટે નયાભાસને ટૂંકામાં સમજાવ્યો છે. ત્રીજા નિક્ષેપ નામના પરિચ્છેદમાં નામાદિ નિક્ષેપોનાં સ્વરૂપ, ભેદ, પ્રયોજન દર્શાવીને દરેક નિક્ષેપ શું શું માને છે? તે જણાવીને તેને ન માં ઉતાર્યા છે. નિક્ષેપોની ઉત્પત્તિનો પ્રકાર જણાવતાં જીવના પણ નિક્ષેપો જણાવ્યા છે. તર્કશાસ્ત્રરૂપી મહેલમાં ચઢવા માટે આ ગ્રંથ પગથિયા જેવો છે. મૂળ ગ્રંથ ૮૦૦ શ્લોક પ્રમાણ છે. તે જૈ. ધ. પ્ર. સ. ભાવનગર તરફથી છપાયો છે. એમ સંભવી શકે છે કે જેમ બૌદ્ધ પંડિત મોક્ષાકરની તકભાષા જોઈને વૈદિક પંડિત કેશવમિએ સ્વમતાનુસાર તકભાષા બનાવી, તેમ તે બંને તર્કભાષાનું નિરીક્ષણ કરીને વાચકવર્ષે આ ગ્રંથની રચના કરી હોય. ૭. ગુરુતત્ત્વનિશ્ચય : મૂળ પ્રાકૃતગાથા ૯૦પ છે અને તેની ઉપર વાચકવર્ષે પોતે જ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦૦ (સાત હજાર) શ્લોક પ્રમાણ ટીકા બનાવી છે. મૂળમાં પ્રસંગે વ્યવહાર ભાષ્ય વગેરે ગ્રંથોની પણ ગાથાઓ ગોઠવી છે. એ પ્રમાણે ટીકામાં પણ તે તે ગ્રંથોના પ્રસંગને અનુસારે જરૂરી પાઠો આપ્યા છે, એટલું જ નહિ પણ જ્યાં પોતાને જરૂર જણાય ત્યાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે. ગુરુતત્ત્વનું યથાર્થ નિરૂપણ કરવા માટે અહીં વિશાળ અધિકારસ્વરૂપ ચાર ઉલ્લાસની સંકલના કરી છે. તેમાં પહેલા ઉલ્લાસમાં (૧) શ્રી ગુરુમહારાજનો પ્રભાવ કેવો હોય છે? (૨) ગુરુકુલ વાસનો પ્રભાવ મહાન જયોત | મન ને કા
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy