SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ કરવાથી સુલભ બને છે. મોહાષ્ટકમાં કહ્યું છે કે “હું” અને “મારું” એ મોહનાં મંત્રનો નાશ કરી હું ચેતન શુદ્ધાત્મ દ્રવ્ય છું, શુદ્ધજ્ઞાન મારો ગુણ છે, હું અન્ય નથી, અન્ય મમ નથી-આ ભાવના મોહને જીતવાનું તીક્ષ્ણ શસ્ત્ર છે. આ ભાવના આત્મામાં આવ્યા પછી રાગ, દ્વેષ, હર્ષ, શોક ઓછા થાય છે અને ક્રમે કરીને મોહનીય કર્મથી આત્મા વિમુક્ત બને છે. મોહનો ત્યાગ માટે જ્ઞાનાષ્ટકમાં કહ્યું છે કે જ્ઞાનીઓ જ મોહનો ત્યાગ કરી શકે છે માટે જ્ઞાનાષ્ટકમાં હોય અને ઉપાદેયે કરીને સમ્યગુ વસ્તુજ્ઞાતા મોહાંધકારનો નાશ કરનાર અને રાગાદિ દોષનાં પાકને શોષણ કરવામાં સૂર્યસમાન નીવડે છે. આ જ્ઞાન કેવી પરિણતિવાળું હોય છે તે શમાષ્ટકમાં બતાવ્યું છે. મનના શુભાશુભ સંકલ્પ વિકલ્પો અને વિષયોથી દૂર ગયેલો આત્માના ધર્મોનું આલંબન લે છે. તેવા | જ્ઞાનનો જે પરિપાક છે તે શમ કહેવાય છે. મનનાં મતિન ભાવોનું શમન કરવું અને સમતા પ્રાપ્ત કરવી એ સમભાવ કહેવાય છે. આ સમતા ઇન્દ્રિયોનો જય કરવાથી સુલભ છે. વિકારોના નાશથી, તૃષ્ણાના શમનથી અને મનરૂપી ઘોડા પર લગામ રાખવાથી ઇન્દ્રિયો પર વિજય શક્ય બને છે, એમ ઈન્દ્રિયજયાષ્ટકમાં કડ્યું છે. ઇન્દ્રિયો પર વિજય ત્યાગથી થાય છે. માટે ત્યાગાષ્ટકમાં કહ્યું છે કે લૌકિક માતાપિતાનો ત્યાગ કરી અમ્પ્રવચનમાતા અને ઘર્મરૂપી પિતાનું શરણું અંગીકાર કરી પંચ મહાવરો ધારણ કરનાર આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે છે. પરભાવનો ત્યાગ કરવા માટે આત્મગુણોને અનુલક્ષીને ક્રિયા કરવાનું ક્રિયાષ્ટકમાં કહ્યું છે. જિનેશ્વરદેવોએ પ્રરૂપેલી ક્રિયાઓને અમલમાં મૂકવા માટે જ્ઞાનદષ્ટિથી વિવેકરૂપી ચક્ષુ વડે કરીને ક્રિયા કરવાથી ક્રિયા સફળ બને છે. સમયસુંદરજી મહારાજ જ્ઞાનનું મહત્ત્વ દર્શવતાં કહે છે કે, “પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા, નહીં કોઈ જ્ઞાન સમાન રે.” જ્ઞાનીઓએ પણ “જ્ઞાન પ્રિયાજમાં મોક્ષ' કહ્યું છે ને ? ક્રિયા કેટલીક વાર ગાડરિયા પ્રવાહમાં તણાઈને મદ, લોભ વગેરે માટે થાય તો નિરર્થક બને છે માટે તૃપ્તયષ્ટકમાં જણાવેલું છે કે જ્ઞાન, ક્રિયા અને સર્વત્રતુલ્ય દષ્ટિનાં ત્રિવેણી સંગમથી આત્મા ઉત્કૃષ્ટ પરિતૃપ્તિને પામે છે. આ ઉત્કૃષ્ટ તૃપ્તિની પ્રાપ્તિ કેવા મનુષ્યોને થાય છે એ માટે નિર્લેપાષ્ટકમાં દર્શાવ્યું છે કે જે મનુષ્ય સંસારનાં સુખોથી નિર્લેપ રહીને જલકમલવત રહે છે તેવા ભાગ્યશાળી મનુષ્યો જ આત્માની સાચી પરિતૃપ્તિ માણી શકે છે. નિર્લેપ મનુષ્યોની દષ્ટિ પણ હંમેશાં ન ૫ણોભારતી B ૧૩૦
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy