SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મોહદૃષ્ટિથી જુએ છે, પણ તે બહાવરો – ગાંડો છે. મોહદષ્ટિવાળો માણસ બીજા માણસને પરવશ બને છે, દીન બને છે, અનાથ અને દુઃખી થાય છે. મારું પાલન કરો, મને બચાવો એમ બોલતો ઘરે ઘરે ફરીને ભીખ માંગે છે. જ્ઞાનદષ્ટિમાં દોષો હોતા નથી. માટે હે ચેતન ! હૃદયમાં જ્ઞાનદષ્ટિનો પ્રકાશ કરો અને જ્ઞાન અને આનંદના ઘન સ્વરૂપ ઉત્તમ યશવાળા સજ્જન પુરુષોના વચનરૂપી રસથી – જળથી પોતાના હૃદયને સાફ કરો. સ્વચ્છ કરો. પંચમહાવ્રત રૂપી જહાજનું વર્ણન કરતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, વાદ વાદીસર તાજ, ગુરુ મેરો ગચ્છ રાજ, પંચ મહાવ્રત જહાજ, સુધર્મા જ્યું સવાયો છે, સત્ત સમુદ્ર ભર્યો, ધરમ ખોત તામેં તર્યો, શીલ સુકાન વાલમ, ક્ષમા લંગર ડાર્યો હે, સહડ (સઢ) સંતોષ ધરી, તપતો તપીહ્યા ભરી, ધ્યાન રંજક ધરી દેત, મોલા ગ્યાન ચલાયો હે. વાદ કરનાર વાદીશ્વરોમાં મુકુટ રામાન, ગચ્છમાં રાજા સમાન મારા ગુરુ છે, ઉત્તમ ધર્મ વડે સવાયું શ્રેષ્ઠ પંચમહાવ્રતરૂપ મારું જહાજ-વહાણ છે. સપ્તરંગી જ્ઞાનસમુદ્ર ભરેલો છે. ધર્મરૂપ વહાણ તેમાં તરી રહ્યું છે, જે ધર્મરૂપી વહાણને શીલરૂપી સુકાનને ધારણ કરનારા મુનિરૂપી વાલમ ચલાવનારા ચલાવે છે અને તેમાં ક્ષમારૂપી લંગર નાખેલું છે. સંતોષરૂપી સઢને ધારણ કરી, તપરૂપી કોલસા ભરી, ધ્યાનરંગરૂપી ધરીને ધારણ કરી, જ્ઞાનરૂપ કપ્તાન નાવ ચલાવે છે. વહાણ મનનીસ્થિરતા માટેઉપાધ્યાયજીની કવિત્વશક્તિજોરદારચોટલગાવેછેઃ જબલગ આવે નહિ મન કામ, તબલગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફલ, શોભાર ૬ ૨૦૪ -
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy