________________
તે બંનેની શુદ્ધરૂપે પ્રરૂપણા કરે છે. તે ગુણના ભંડાર ગુરુની બલિહારી છે, તેમના પ્રતાપના ગુણગાન કરુ છું.
ચિંદાનંદઘન પ્રભુના સ્વરૂપની વાત કરતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે: ભેદી પરિણતી સમકિત પાયો, કર્મવજ-ધનકી, એસી સબલ કઠિનતા દિસે, કોમલતા મનકી, ભારી ભૂમિ ભયંકર ચૂરી, મોહરાય-રનકી, સહજ અખંડ ચંડતા પાકી, ક્ષમા વિમલ ગુનકી.”
ગાઢ વ્રજ સરખા કર્મના પરિણામને ભેદીતોડી તેને સમકિતને મેળવ્યું. કોમળ એવા મનની અધ્યવસાયની આવી બલવંત કઠિનતા - મજબૂતાઈ દેખાઈ છે. મોહરાજાની અત્યંત ભયંકર રણભૂમિના તેણે ચૂરેચૂરા કરી નાખ્યા. મોહરાજની રણભૂમિને તોડી નાખી, આવી જેમના નિર્મળ અને અખંડ એવા સમાગુણની પ્રચંડતા છે, તીવ્રતા છે, તીણતા છે.
શાનદષ્ટિ અને મોહદષ્ટિનો ભેદ સમજાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે: ચેતન ! જ્ઞાનની દષ્ટિ નિહાલો, મોહદષ્ટિ દેખે સો બાઉરો, હોત મહામતવાલો, મોહદષ્ટિ જન જનકે પરવશ, . દીન અનાથ દુખાવો, માગે ભીખ ફિરે ઘર ઘરિશુ, કહે મુજકું કોઈ પાલો. શાન-દષ્ટિમાં દોષ ન એતે, કરો જ્ઞાન અજુઆલો, ચિદાનંદ-ગન સુજસ વચનરસ, સજ્જન હૃદય પખાલો. હે ચેતન ! જ્ઞાનની દષ્ટિથી જુઓ. જે મહામદથી ભરેલો છે તે પદાર્થને
ચમેન પદસાહિત્ય 1 ૨૦૨
કંક