SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જાણતો હોય તે જ સાચો જૈન છે. પારકી આશા નહીં રાખવાનું સમજાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ પરવશ બસત લહત પરતી, દુઃખ સબ હી બાસે સન્ના, નિજર આપ સંભાર સંપદા, મત મન હોય સનૂરા, પરસંગ ત્યાગ લાગ નિજ અંગે, આનંદવેલી સાંધ્રા, નિજે અનુભવ રસ લાંગે મીઠા, જ્યું ઘેવર મેં છૂા.’ આ જ્ઞાની આત્મા પરપદાર્થોને વશ પડી પરભવમાં રમણતા કરવાથી પુદ્ગલભાવને વશ પડવાથી પ્રત્યક્ષ દુઃખ પામી રહ્યો છે. પોતાના આત્મારૂપી ઘરમાં રહેલી દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી પોતાની અનંત સંપત્તિઓને કેમ ભૂલી જવાય ? આત્મા સ્વ-ભાવમાં જ રમણતા કરે, પર પ્રત્યે આસક્તિ કરે નહિ. કારણ કે આત્મારૂપી પ્રભુ સર્વ રીતે પરિપૂર્ણ છે. માટે પરસંગને છોડી પુદ્ગલમાંથી મન ખેંચી લે. નિજ રંગમાં લાગી જઈ મનને આત્મામાં લાવી મૂકે, બહિરાત્મ ભાવને છોડી દઈ અંતરાત્મ ભાવમાં રમણતા કરે તો આનંદરૂપી વેલીના અંકુરો તરત જ ફૂટશે અને તેથી જેમ ઘેબરમાં સાકર મીઠી લાગે છે તેમ પોતાનો અનુભવરસ મીઠો લાગવા લાગશે. માયાની ભયાનકતા વર્ણવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે : ‘માયા કારમી રે, માયા મ કરો ચતુરા સુજાન, માહ્યા વાહ્યો જગત વિલુધો, દુઃખિયો થાય અજાન, જે નર માયાએ મોહી રહ્યો, તેને સુપને નહિ સુખઠાણ. નાના મોટા નરને માયા, નારીને અધિકેરી, વળી વિશેષ અધિકી માયા, ઘરડાને ઝાઝરી. શોભારતી 0 1
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy