SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ રચાયેલું તેમનું પદસાહિત્ય આજે પણ એટલું જ લોકપ્રિયઅનેલોકભોગ્યરહ્યુંછે. આત્માને મોહના સંગથી દૂર કરી હૃદયમાં જ્ઞાનરૂપી અમૃતને ધારણ કરવા માટે ઉપાધ્યાયજી મહારાજ કહે છેઃ ‘મોહ મહાતમ મલ દૂરે રે, ઘર સુમતિ પરકાસ, મુક્તિપંથ પરગટ કરે રે, દીપક જ્ઞાનવિલાસ, જ્ઞાની જ્ઞાનમગન રહે રે, રાગાદિક મલ ખોય, ચિત્ત ઉદાસ કરની કરે રે કર્મબંધ નહિ હોય.’ જે જ્ઞાનનો વિલાસ મોહરૂપી મહાઅંધકારની મલિનતાને કાળાશને દૂર કરે છે અને સારી બુદ્ધિરૂપ પ્રકાશને ધારણ કરે છે અને મોક્ષનો માર્ગ પ્રગટ કરે છે, તેવો જે જ્ઞાનનો વિલાસ તે દીપકરૂપ છે. જ્ઞાની પુરુષ જ્ઞાનમાં મગ્ન રહે છે. રાગ-દ્વેષ આદિ મળોનો નાશ કરે છે. સંસાર તરફ ઔદાસીન્ય કેળવી – ઉદાસભાવ રાખી સર્વ ક્રિયા કરે છે જેથી તેને કર્મબંધ થતો નથી. સાચો જૈન કેવો હોવો જોઈએ તેનું સરસ દર્શન કરાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ કહત કૃપાનિધિ સમ–જલ ઝીલે, કર્મ મયલ જો ધોવે, બહુલ પાપ-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે; સ્યાદ્વાદ પૂરન જો જાને, નયગર્ભિત સ વાચા, ગુનપર્યાય દ્રવ્ય જો બૂઝે, સોઈ જૈન હે સાચા.' જેઓ સમતારૂપી જલમાં સ્નાન કરતા હોય, કર્મરૂપી મેલને ધોઈ નાખતા હોય, ઘણાં પાપરૂપી મળને અંગ ઉપર આત્મામાં ધારણ ન કરે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જેઓ જુએ છે તે જ સાચા જૈન કહેવાય. વળી જે સ્યાદ્વાદને પૂર્ણપણે જાણે, જેમની વાણી પણ નયથી યુક્ત હોય, જે દ્રવ્યગુણ પર્યાયને સમી પાસિયા
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy