SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કિરતાં તેમનામાં કવિત્વશક્તિનો ઉદય થયો. એ દ્વારા તેમણે સરસ્વતીદેવીને પ્રસન્ન કર્યા હતાં. અને આથી જ તેઓએ સરસ્વતીદેવીને અર્થ આપવા પ્રત્યેક ગ્રંથની શરૂઆત મેં થી કરેલી છે. આ દ્વારા એ પણ જાણવા મળે છે કે તેમણે પોતાની જન્મજાત તીવ્ર સ્મરણશક્તિ અને અવધાનકળાનો ઉપયોગ કરી કાશીમાં ટૂંક સમયમાં જ તેઓ સર્વશાસ્ત્રપારગામી બની ગયા હતા. કાશીમાં જ તેમણે પ્રકાંડબ્રાહ્મણોને હરાવ્યા અને અનેક ન્યાયગ્રંથોની રચના કરી. તેઓશ્રીની કલમ કોઈ અલૌકિક તાકાત ધરાવતી હોય તેવું જણાતું, અને ઘણી વાર તો એમ પણ લાગતું કે |ઉપાધ્યાયજીની કલમ ઉપર સ્વયં સરસ્વતીજી જ આરૂઢ થયાં હોય. આ કારણે જ તેમને કુર્ચાલી સરસ્વતીનું બિરૂદ આપવામાં આવેલું. અષ્ટસહસ્ત્રી જેવા મૂર્ધન્ય ગ્રંથનું અધ્યયન કર્યું. આ ગ્રંથ માટે આજે પણ કાશીમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આ અષ્ટસહસ્ત્રી નહીં પરંતુ કષ્ટસહસ્રી છે. આ ગ્રંથને ભણાવવાનું પંડિતો ટાળતા. તે ગ્રંથ પર ઉપાધ્યાય યશોવિજયજીએ અષ્ટસહસ્ત્રી (આઠ હજાર શ્લોક પ્રમાણ) ટીકા રચી એક નવો ઈતિહાસ રચ્યો, એટલું જ નહીં પરંતુ નબન્યાય જેવા કિલષ્ટ અને શુષ્ક વિષયનું પૂર્ણ અધ્યયનચિંતન-મનન કરી નવ્યશૈલીમાં જૈનગ્રંથ રચનાર પ્રથમ જૈન મુનિ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું. પંડિતોના સવાલોના આક્ષેપોના સચોટ ઉત્તર આ ગ્રંથોમાં જોવા મળે છે. તેમની તીવ્ર મેધાશક્તિ તેમના ગ્રંથોમાં જોવા મળે છે અને આ કારણે જે લોકો જૈનના સ્યાદ્વાદની મજાક કરતા તે કાશીના પંડિતો પણ તેમના ગ્રંથ જેવા આકર્ષાયા. અને વર્તમાનયુગમાં તો બ્રાહ્મણ પંડિતે તેમના શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા ઉપર અને મહાવીરસ્તવ ઉપર વિવેચન લખ્યું. દર્શન જેવા અઘરા વિષયને સંસ્કૃત ભાષામાં રચવા કઠિન નથી પરંતુ તેને લોકભાષામાં લખવા અતિકઠિન છે, પરંતુ યશોવિજયજીએ તો તે કામ પણ સરળતાપૂર્વક કરી બતાવ્યું. દ્રવ્યગુણપર્યાયનો રાસ રચી, દર્શનના વિષયને લોકભોગ્ય રાસમાં રચ્યો. | દર્શનની સાથે સાથે તેમણે અધ્યાત્મવિષયક ગ્રંથ રચ્યા. ખરે જ તેઓ અસામાન્ય પ્રતિભા ધરાવતા હતા. અધ્યાત્મ જેવા અનુભવગમ્ય વિષયને પણ ભાષાના બંધનોમાં બાંધી દીધો. જ્ઞાનસાર અને અધ્યાત્મસાર નામના બે ગ્રંથો, જ્ઞાન અને અધ્યાત્મનો સાર જ છે. જ્ઞાનસાર તો જૈનગીતા છે જેમાં અનુરુપ છંદમાં, સરળ ભાષામાં ખૂબ જ સુંદર રીતે અધ્યાત્મજ્ઞાન પીરસ્યું છે. ગુજરાતી સ્તવન અને ચૈત્યવંદનોમાં ભગવાન પ્રત્યેની ઉત્કટ ભક્તિ જોવા મળે છે. સમ્યતા અધ્યાત્મની પ્રથમ શ્રેણી છે. સમક્તિ પ્રાપ્ત થયા પછી મુક્તિની પ્રાપ્તિ મરોભારતી 1ST
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy