SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (વિરલ સાધક જિતેન્દ્ર. બી. શાહ જૈન ઇતિહાસના અમર શાસ્ત્રકારોમાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજીનું આગવું સ્થાન છે. તેઓશ્રી જૈનશાસનના નભોમંડળના તેજસ્વી સિતારા છે. મહામહોપાધ્યાય અને ન્યાયાચાર્ય જેવા ઉપનામોથી વિખ્યાત શ્રી | યશોવિજયજીના જીવન અને કવન વિશે જેટલું કહેવાય, ઓછું જ છે, કેમ કે તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન જ્ઞાન, ધ્યાન અને અધ્યાત્મની અનુપમ સાધના કરી અનેક ગ્રંથરત્નો સમાજને અપ્ય છે. તેથી સમાજ અને વિદ્યાજગત હંમેશાં તેમના ઋણી બની રહેશે. તેમના જીવનમાં જ્ઞાન અને અધ્યાત્મનો વિરલ સમન્વય જોવા મળે છે. સાહિત્યના કોઈ પણ વિષય પર તેઓ સહજતાથી લખી શકતા, અને જે વિષય પર લખતા તે વિષયના સૂક્ષ્મતમ અંશને પણ સરળતાથી આલેખતા, વિષયના બધાં જ પાસાંને ઉજાગર કરતા. આ તેમની શૈલીની વિશિષ્ટતા હતી. ઘણી વાર વિકટ સમસ્યાને એક જ પંક્તિથી ઉકેલી દેતા, તો ઘણી વાર અકાટ્ય લાગતી અન્ય દર્શનકારોની તાર્કિક દલીલોને સચોટ રીતે ખંડિત કરી દેતા. સ્વદર્શનકારોની વિભિન્ન લાગતી દલીલોનો ખૂબીપૂર્વક સમન્વય કરી દેતા. તેમણે વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવા સરળ ગ્રંથોની રચના પણ કરી અને વિદ્ધન્જનમાન્ય ગ્રન્થો પણ ગૂંથ્યા છે. તેમણે આધ્યાત્મિક ગ્રંથો પણ રચ્યા. આમ જીવનમાં તેમણે સાધના દ્વારા જ્ઞાનગંગા વહેવડાવી. તેમના ગ્રંથોનું અવલોકન કરતાં જ્ઞાન અને અધ્યાત્મની પરાકાષ્ઠાનું પ્રતિબિંબ સહેજે જોવા મળે છે અને આવી સિદ્ધિ અંગે તેમણે બે વિશિષ્ટ સાધનાનો ઉલ્લેખ કર્યો છે. મહાવીર સ્તવન નામક દાર્શનિક સ્તુતિગ્રંથના મંગલાચરણમાં તેઓ જણાવે છે કે: ऐंकार जापवरमाप्य कवित्ववित्व वाज्छासुरदुमुपगङ्गमभङ्गरङ्गम् । सूक्तैर्विकासिकुसुमैस्तव वीर शम्भोरम्भो जयोश्यरयायोर्वितनोमि पूजाम् ॥ અર્થાત ગંગા નદીને કિનારે દેવરનો જાપ કરતા તેમને સરસ્વતીદેવીની સાધના કરી હતી. હું એ સરસ્વતીદેવીનો બીજ મંત્ર છે. આ મંત્રનો જાપ કરતાં ' વિરલ ચાલક n r૩ એ છે
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy