________________
સહેજે પ્રતિભાસે છે.
આ પોતાના મૂછાળા અવતારને-કૂર્ચાલી શારદ'ને દેખી સરસ્વતીને લજ્જાના માર્યા સંતાઈ જવું પડ્યું ! આ સાચેસાચા વ્યાખ્યાનવાચસ્પતિ (જગદ્ગુરુ) વાચકવરની વાચા સાંભળી વાચાલ વાચસ્પતિ (ત્રિદશગુરુ) અવાચક થઈ ગયો ! વાડ્મયની રંગભૂમિમાં કવિતાસુંદરીને યથેચ્છ નચાવનારા આ સત્કવિની યશસ્કીર્તિથી પ્રતિપક્ષીઓના મસ્તક ધોળાં ને મુખ કાળાં થયાં! જ્ઞાનીઓના હૃદયાકાશમાં વહેતી અધ્યાત્મ જ્ઞાનગંગાને આ ભગીરથે અવનિને પાવન કરવા પૃથ્વી પર અવતારતાં પ્રાણીઓનો વિભાવરૂપ પાપમલ ક્યાંય | ધોવાઈ ગયો!
આમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. હા, ચૂનોક્તિનો સંભવ છે ખરો ! એમના સમકાલીન શ્રી કાંતિવિજય મુનિએ “સુજસવેલી' માં એમને ભવ્ય ભાવાંજલિ અર્પી છે કે
કુર્ચાલી શારદ તણોજી, બિરુદ ઘરે સુવિદિત; બાલપણે અલવે જિણેજી, લીધો ત્રિદશ ગુરુ જીત. લઘુ બાંધવો હરિભદ્રનો રે, કલિયુગમાં એ થયો બીજે રે; છતાં યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કો મત ખીજે રે. સંવેગી સિરસેહરો, ગુરુ જ્ઞાનરયણનો દરિયો રે; કમત તિમિર ઉચ્છેદવા, એ તો બાલાસણ દિનકરિયો રે.”
અર્વાચીનોની જેમ તેમના નામ પાછળ ઉપાધિઓની લાંબી લંગાર નહિ લાગેલી છતાં, આસીધાસાદા ઉપાધ્યાયજી' પણ આચાર્યોના આચાર્યને ગુરુઓના ગુરુથવાને પરમ યોગ્ય છે. યશાશ્રીના પડછાયા પાછળ દોડનારાઆધુનિકોની પેઠે તેઓ તેની પરવા નહિ કરતા છતાં યશશ્રી' હજુ તેમનો પીછો છોડતી નથી! અધ્યાત્મરસ પરિણતિ વિના શાસ્ત્રનો ભાર માત્ર વહનારાને નિર્માલ્યતત્ત્વવિહીન | ચર્ચાઓમાં શાસ્ત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા આગમધરો તો ઘણાય છે. પણ અધ્યાત્મ પરિણતિપૂર્વક શાસ્ત્રનો રસાસ્વાદ લેનારા ને શાસ્ત્રનો તાત્ત્વિક પ્રતિપાદનમાં કેવળ આત્માર્થેસદુપયોગ કરનારા તેમના જેવાનિરાગ્રહીને પરિણત સાચાઆગમરહસ્યવેદીભૃતધરોતોવિરલાજ છે. પ્રસ્તુત શ્રીકાંતિવિજયજીએ કહ્યું છે તેમ બીજા શતલક્ષ-ક્રોડ સગુણીઓ પણ આને ન પહોંચે.”
“જશ શિર્ષાપક શાસનેજી, સ્વસમય પરમત દક્ષ; પોંહચે નહિં કોઈ એહનેજી, સુગુણ અનેરા શતલક્ષ.
યશોવિપs a he.