SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તબ્ધ અને હતપ્રભ બની બીજે દિવસે પેલા પંડિત દેખાયા જ નહીં. વાદીને શોધ્યા. તેમણે હાર સ્વીકારી અને કાશીના પંડિતોએ આ જૈન મુનિને “ન્યાયાચાર્ય અને અન્યાયવિશારદ'નાં બિરુદો અર્પણ કરી બહુમાન્યા. ભટ્ટાચાર્યે તેમને આશીર્વાદ આપી વિદાય કર્યા. કાશીનિવાસ પછી ચાર વર્ષ સુધી ષડ્રદર્શનો વગેરેનો કાશીમાં અભ્યાસ. • રાજનગર એટલે કે અમદાવાદમાં પધરામણી અને સતત બહુમાન. અમદાવાદમાં સૂબા મહોબતખાને કરેલું સ્વાગત. રાજ્યસભામાં પંડિતો અને સમાજની ઉપસ્થિતિમાં સફળ અઢાર અવધાન અને બહુમાન. આના અનુસંધાનમાં સકળ શ્રીસંઘની વિનંતીથી તપાગચ્છ નેતા આચાર્ય) વિજયદેવસૂરિને વરદ હસ્તે ઉપાધ્યાયના પ્રશસ્યપદે અભિષેક મુગ્ધ શ્રીસંઘ, સમાજ અને પંડિતોમાં પ્રસિદ્ધ થયેલી ઉક્તિ કે “આ તો સાક્ષાત્ મૂછાળી સરસ્વતી છે!' • શ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ તેમને અન્તર્મુખ બની સાધના કરવાનો, લેખનકાર્ય કરવાનો, તેમના વ્યક્તિત્વને નવો જ વળાંક આપ્યો; તેમની વિદ્વત્તા હવે પૂરી આધ્યાત્મિક સંસ્પર્શવાળી બની. • સ્વનામધન્ય, પુણ્યશ્લોક આનન્દઘનજી મહારાજ સાથેનું ઐતિહાસિક મિલન અને યશોવિજયજીનાં કવિત્વ, પ્રતિભા, વિદ્વત્તા, સાધના સવિશેષ આધ્યાત્મિક રંગે રંગાયાં.વિદ્યા આમ સ્વબળે પાંગરી, શતમુખ વિસ્તાર પામી. • વિ.સં. ૧૭૧૦માં મલ્લવાદિજી રચિત અધૂરા “નયચક્ર'ને આધારે ગુરુશ્રી નયવિજયજી મહારાજ તથા અન્ય પંડિતો અને સાધુ વિદ્વાનની સહાય માત્ર ૧૫ દિવસમાં ૧૫૦૦૦ શ્લોકપ્રમાણ ગ્રન્થ રચ્યો. અન્ય અનેક ગ્રંથ રચાતા જ રહ્યા. • વિ.સં. ૧૭૩૪માં રાંદેરનાસમગ્રસંઘનાએકી અવાજથી કથળતી તબિયતે શ્રી વિનયવિજયજીએ શરૂ કરેલો શ્રીપાળરાજાનો રાસ પરિપૂર્ણ કરી આપ્યો. • વિ.સં. ૧૭૪રમાં સુરતમાં ગોપીપુરામાં ચોમાસું વાસો કરી શ્રેષ્ઠિવર્ય મંગલચંદના સુપુત્ર રૂપચંદભાઈને અગિયાર અંગની સઝાય સંભળાવી અને તેની રચના કરી. • વિ.સં. ૧૭૪૩માં ડભોઈમાં છેલ્લું ચોમાસું નવ શિષ્યો સાથે કર્યું. છેલ્લે છેલ્લે તેમણે સાગરિક અનશનનો સ્વીકાર કર્યો અને સમાધિપૂર્વક દેહ છોડી સુરપદવી પામ્યા. ડભોઈના શ્રીસંઘે અગ્નિસંસ્કારના સ્થળે દેરી | બનાવી ત્યાં તેમની પાદુકાઓ પધરાવી. ( યશોભારતી n ૧૦ ) હા
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy