SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મ.ના સ્વાનુભૂત ઉદ્ગારોમાં જોઈએ? પ્રથમ કોટિના પ્રભુભક્તો પૈકી એક પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પોતાના વિશુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમભર્યા જીવનમાં અનુભવેલા પ્રભુ-પ્રેમના પ્રકર્ષને અભિવ્યક્ત કરતાં અનેક ભક્તિ-ભાવભીનાં સ્તવનો રચ્યાં છે. જગજીવન જગવાલણે' થી પ્રારંભી ગિરૂઆ રે ગુણ તુમ તણા” સુધીની ૨૪ જિનેશ્વર ભગવંતોની સ્તવનામાં, તેના એક એક પદ અને અક્ષરમાં જિનગુણ પ્રમુદિત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના આત્મામાંથી છલકાતો અવિહડ અને અલૌકિક પ્રેમ જોવા મળે છે. પ્રભુપ્રેમના પારાવારમાં મીનરૂપે મસ્તીથી આનંદ માણતા અને તરતા પૂ. ઉપાધ્યાયજી મહારાજની એવી એક આ પ્રભુસ્તવના છે, જેમાં પ્રવેશ કરીને આપણે પણ એ ઉપાધ્યાયજી મ.ના અણુએ અણુમાં પ્રભુભક્તિ કેવી વ્યાપકરૂપે પ્રતિષ્ઠિત થઈ હતી, તેનું દર્શન કરી કૃતાર્થ બનીએ ! પ્રભુપ્રેમના પ્રકર્ષને પ્રકાશિત કરતી તે સ્તવનાની પહેલી કડી “મેરે પ્રભુ શું, પ્રગટ્યો પૂરણ રાગ....” જિન-ગુણ ચંદ્રકિરણ શું ઊમટ્યો, સહજ સમુદ્ર અથાગ....!” છે ને....! સરળ-સરસ–સુંદર ભક્તિની લહેર......! પ્રભુમાં પૂર્ણરાગ, પૂર્ણપ્રેમ પ્રગટે છે, ત્યારે જ આવા હૃદયોદ્ગારો, પૃથ્વીને પ્રકાશનો અભિષેક કરતાં રવિ-કિરણોની જેમ પ્રગટે છે. આવો પૂર્ણ પ્રેમ જિનેશ્વરરૂપી પૂર્ણચન્દ્રના ધવલશીતળ, મૃદુ, ત્રિવિધ તાપહર કિરણો ભક્તના હૃદયરૂપ સાગરમાં પ્રવેશે છે, ત્યારે પ્રગટે છે. પૂર્ણચન્દ્રના દર્શને, અપૂર્વ ઉલ્લાસે થનગનતા સાગરની ઉપમા તારા, પૂજ્યશ્રીએ પોતાના પૂર્ણ–પ્રભુ-પ્રેમને આવિષ્કત કર્યો છે. આ પંક્તિમાં સાગરની મસ્તી છે, એ મસ્તીનું કારણ પૂર્ણચન્દ્રની ચાંદની તાત્પર્ય કે સાગરને ચન્દ્રપ્રકાશ સાથે જેવી સહજ-પ્રીતિ છે, તેવી સહજ | પ્રીતિ ભક્તાત્માને ભગવાન સાથે હોય છે. અરિહંત પરમાત્મા એટલે લોકને આલોક્તિ કરનાર અપૂર્વ ચન્દ્ર ! લોકઉદ્યોતકર અપૂર્વ જિનચન્દ્ર! પૂર્ણ પ્રભુ સાથેનો પ્રેમ, પ્રેમીની સર્વ અપૂર્ણતાઓનો સમૂળ ઉચ્છેદ કરીને રામ no૫
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy