________________
પુનર્મુદ્રણનું નિવેદન ટૉલ્સ્ટૉયનો આ ગ્રંથ (ગુજરાતીમાં) ૧૯૪૫ માં પહેલો બહાર પડયો હતો. હવે તેની નકલો ખલાસ થઈ ગઈ છે, અને એ ઉપયોગી ગ્રંથ મળતો નથી, એમ એક બે મિત્રોએ બે ત્રણ વર્ષ પર કહેલું. સામાન્ય વાચકો ઉપરાંત, આ પુસ્તક કલા અંગેની ગુજરાત યુનિની કૉલેજના વિદ્યાર્થીઓને ખાસ જોઈએ, તે જોતાં પણ તે બનતી ત્વરાએ સુલભ કરવું જોઈએ, એવી માગણી હતી.
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડી હતી. નવી આવૃત્તિ તે તરત બહાર પાડી ન શકે એમ જોઈને, બીજો કોઈ માર્ગ વિચારવો જોઈએ, એમ લાગ્યું. “શ્રી મ૦ દેવ સન્માન ટ્રસ્ટ” તરફથી આ તરત પ્રસિદ્ધ કરી શકાય; અને તે છાપવાના કામ અંગે “પરિવાર પ્રકાશન સંસ્થાએ તરત જોગવાઈ કરી આપવા જણાવ્યું, આથી આ બીજી આવૃત્તિ “શ્રી મ0 દે) સન્માન ટ્રસ્ટ તરફથી પરિવાર પ્રકાશન સંસ્થા” બહાર પાડે છે. થોડાક માસમાં જ આ કામ કરી આપવાને માટે તે બંને સંસ્થાને આભારી છું.
ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. કાંઈક ભૂલચૂક રહી ગયેલી પૂફ જોતાં નજરમાં આવી, તો તે સુધારી લીધી હશે એટલું જ. એક નાનકડો ઉમેરો કર્યો છે, તે પુરવણી રૂપે (પા. ૨૦૫-૬) “વૉટ ઇઝ ટૂથ’ એ (સચિત્ર) લેખ પૂરતો છે, તે અહીં નોંધવું જોઈએ.
ચિત્રો મળ અંગ્રેજી ગ્રંથમાં આપેલાં તે પરથી અહીં ઉતાર્યા છે; તે માટે અહીં એને આભાર માનું છું.
આ ગ્રંથ વિષે મારા વિસ્તૃત ઉપદ્યાતમાં કહ્યું જ છે. તથા ગાંધીજીના કલા વિશેના વિચારો રજૂ કરતાં કેટલાંક અવતરણો પણ તે