SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની નિવેડે પોતે જ આણી દીધે. કેટલાંક ઘર તથા શી ના લાગી તેમણે પૃથ્વીચંદના નામ પર કરી આપ્યાં; અને મહાદેવને પણ એ જ પ્રમાણે કેટલીક આવક કરી આપી; અને પોતાને માટે શીખો જે કાંઈ ભેટ ધરે એ જ રાખ્યું. પણ એ ઉદારતા તથા નમ્રતાની ભાઈઓ પર કશી જ અસર ન થઈ. પૃથ્વીચંદની સ્ત્રીએ “ઘર ફૂટ ઘર જાય”ના આ દુઃખદ પ્રકરણની આગ ઓલવાવા જ ન દીધી. જ્યારે ત્યારે તે પૃથ્વીચંદને ટેકતી જ રહેતી કે, તમે પાટવી. હોવા છતાં ગુરુગાદી તે તમને નહિ જ ને ? શુદ્ર મનને પૃથ્વીચંદ આ મહેણાં ન સાંખી શકતા અને પિતાના ભાઈ અર્જુનની ગુસ્તી. લાયકાત જોતાં છતાં, તેને પદભ્રષ્ટ કરવા જ મથતા. ગુરુ અને તે પિતાના ગુરુકા તરફ જ ધ્યાન દેવા માંડયું. એ કાર્ય તે ગુરુ નાનક તરફથી તેમને મળેલું; તે કર્યો જ છૂટકો... એટલે પૃથ્વીચંદને વિરોધ શમાવવા મથી, તેની ઉપેક્ષા કરી, તે નિજી કાર્યમાં પડયા. પિતા-ગુરુ રામદાસે શરૂ કરેલા અમૃતસરના ખોદકામને. ઉલ્લેખ આગળ આપણે જઈ આવ્યા. ગુરુ અજુને ઘરને ઝઘડો. પતાવીને પહેલું એ કામ હાથ પર લીધું. આ કામની આસપાસ કેટલીય ધાર્મિક ભાવનાઓ અને ચમત્કારશ્રદ્ધા વણાઈ હતી. એટલે આ કામની પૂર્ણતા, એક રીતે જોતાં, શીખધર્મને સંગઠિત કર્યાની નિશાનીરૂપ હતી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને શ્રદ્ધાળુ શીખોને એ કામમાં જોડવામાં આવ્યા હતા. ભાઈ બુધ ગુરુ નાનકનો સમકાલીન એમને હાથે દીક્ષા પામેલે શીખ હતા. એ આ કામમાં મુખ્ય હતું. અને ગુરુ રામદાસ જાતે એ કામની દેખરેખ રાખતા. સરોવરની પાસે એક સીસમના ઝાડ નીચે બાંધેલા એક ઝૂંપડામાં તે રહેતા ને શીખોને તથા અન્ય સત્સંગી વગેરેને ઉપદેશ આપતા. ગુરુ ત્યાં રહેતા તેથી,
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy