SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ – ૧ કુલ સ્રીની સાથે કુટુંબજીવનનું પણ ગૌરવ વધે એ સ્વાભાવિક છે. બધા ગુરુએ કુટુંબી હતા. ગુરુ નાનક કરવેશે ક્રૂરતા, છતાં રૂઢિ અનુસાર એમણે કારે પણ સન્યાસ લીધેા નથી. પેાતાના ભ્રમણમાં એક વખત ગુરુ નાનકને કાઈ સંન્યાસીએ પૂછ્યું : ‘ઉદાસ એટલે શું ?” ગુરુએ જવાબ આપ્યા, “પેાતાની માલિકીની નહિ પણ ઈશ્વરી સમજી દુનિયાની બધી વસ્તુના ઉપયાગ કરવા અને ઈશ્વરને મેળવવાની સતત આકાંક્ષા રાખવી એટલે ઉદાસ.” પ્રા. તેજસિંગ કહે છે, “પેાતાના વિચારાના પદાર્થપાઠ આપવા માટે, ગુરુ નાનકે પેાતાના જીવનને જ દાખલા મેસાડવા, પેાતે દુનિયામાં રહી પવિત્ર જીવન ગાળ્યું. જુવાનીમાં એ સરકારી સ્ટેર-કપર હતા, અને એ કામ એમણે પૂરી પ્રામાણિક્તાથી કર્યું. સાથે જ એ પૂરા ગૃહસ્થ હતા... છેવટે, મુસાફરીમાં કેટલાંમ વર્ષોં ગાળ્યા પછી કરતારપુરમાં તે એક ખેડૂત બનીને રહ્યા.” સાદું, સંયમી તે સદાચરણી, મહેનતુ જીવન એ શીખ આ છે. ગુરુને ચરણે ભેટ ધરવી એ તેમને વિહિત દાનયજ્ઞ છે. ગુરુએ આ ભેટના ઉપયાગ ‘ગુરુકા લંગરખાના‘—એક મેઢું અન્નક્ષેત્ર— ચલાવવામાં કરતા, જેમાં નાતજાત કે ધર્માંના બાધ વિના બધા જ લેાકને રાંધેલુ અન્ન મળી શકે. આમ છતાં, શીખધ સંન્યાસ વિના નથી રહી શકયો. કદાચ હિંદની ભૂમિ પર જન્મેલા ધર્મને માટે એ અશય હાય. ગુરુ નાનકના પુત્ર શ્રીચંદે ગુરુપદ ન સ્વીકારતાં સંન્યાસ લીધા અને આજ આપણે જેને ઉદાસી પંથ તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના કરી. આ પંથીએ પણ ગુરુ ગ્રંથને પૂજ્ય માને છે તે પ્રેમથી તેનેા પાઠ કરે છે, અને શીખધર્માંની એક શાખા તરીકે એ લેખાય છે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy