________________
શ્રીસુખમની
ર૩– ૧ સંતની સેબતમાં પ્રભુને અંતરમાં દીઠા અને પ્રભુનું નામ મીઠું લાગવા માંડ્યું. (૧) - બધી સામગ્રી એક આ દેહમાં જ છે, અને (નામસમરણમાં આગળ વધતાં) વિવિધ પ્રકારના અનેક રંગ દેખવા મળે છે. (૨)
પ્રભુનું નામ અમૃતરૂપ તથા નેવે નિધિરૂપ છે, દેહમાં જ તેનું સ્થાન છે. (૩)
શૂન્ય સમાધિ અને અનાહત નાદ પણ ત્યાં જ છે એ બધાં અદ્ભુત આશ્ચર્યોનું વર્ણન થઈ શકે તેમ નથી. (૪)
એ બધાં આશ્ચર્યો તે માણસ જ જોઈ શકે, જેને પ્રભુ પિતે એ બધું દેખાડે. નાનક કહે છે કે, તે માણસને પછી પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૫)
૨૩ – ૨ सो अंतरि सो बाहरि अनंत । घटि घटि बिआपि रहिआ भगवंत ॥१॥ धरनि माहि आकास पइआल । सरब लोक पूरन प्रतिपाल ॥२॥
૧. એક પિંડમાં આખું બ્રહ્માંડ છે; અને સાધનામાં આગળ વધતાં અનેક પ્રકારના ચમત્કારિક રંગઢંગ જોવા મળે છે, એ ભાવ છે.
એક પ્રભુમાં બધું છે, અને તેમાંથી આ બધી વિવિધતા પ્રગટ થાય -એ અર્થ પણ લેવાય છે. –સંપા. ૨. દેહમાં જ તે પ્રાપ્ત થાય છે, એવો ભાવ.–સપાટ