________________
અષ્ટપદી
૨૦૭ હુકમ કહે છે. તે કહે છે : “ઈશ્વરના હુકમ અનુસાર બધું થાય છે.' આ હુકમની કલ્પના એ જગતના એક (cosmic force) અદ્વિતીય નિયંતાના જેવી શ્રદ્ધા છે. ભક્તહૃદય એને જ ઈશ્વર કહે છે, “હરિ કહે છે, પ્રભુ કહે છે, અને એમ કરીને જીવન-સ્વાથ્ય મેળવે છે.
આના ઉપરથી જ ભક્તિનું રૂ૫ સપષ્ટ કરે છે અને કહે છે તિ નામુ રખુ કંઠિ પરેઈ.” ઉપનિષદકારના તત અને સઃ ની પેઠે ગુરુ આ પદમાં ‘તિસ' શબ્દથી જ એ નિયામક તત્વને સંબધે છે. મર્યાદિત મનુષ્ય એ તરવને કાંઈક વાચક દ્વારા જ સાકાર કરી શકે. તેથી ગુરુઓએ નામને જ પ્રભુ સમાન ગયું છે અને નામસ્મરણ એ પ્રભુભક્તિનું પ્રધાન અંગ છે એમ બતાવ્યું છે : બધી જ ઈદ્રિ દ્વારા એને અનુભવ, એમ હવે પછીના (૧૪૯ ૨ ) પદમાં કહે છે; જીભ, કાન, આંખ, હાથ, પગ બધાં દ્વારા એને જ તું ઉપાસ, એમ બોધ કરે છે–
૧૪ – ૨ उसतति मन महि करि निरंकार । करि मन मेरे सति बिउहार ॥१॥ निरमल रसना अमृतु पीउ । सदा सुहेला करि लेहि जीउ ॥२॥ नैनहु पेखु ठाकुरका रंगु । साध संगि बिनस सभ संगु ॥३॥ चरन चलउ मारगि गोबिंद । मिटहि पाप जपीऐ हरि बिंद ॥४॥ कर हरि करम स्रवनि हरि कथा । हरि दरगह नानक ऊजल मथा ॥५॥