SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીસુખસની ભક્ત જ ગણી લેવાય. તેથી તા આપણે એમનુ કાવ્યનિરૂપણ વેદકાળના કવિઓથી માંડીને આજ સુધી થતું આવતુ' જોઈ એ છીએ. આ મુખ્ય પ્રમેયથી ૧૦મી અષ્ટપદીના લેાકમાં જીવસ્વરૂપનુ નિરૂપણ કરે છે કે, હે પ્રભુ ! અનેક લોકો તમારી સ્તુતિ કર્યાં કરે છે’; અને સાથે જ એ આખી રચનાને કેન્દ્રીભૂત કરનાર પ્રભુને વિષે પણ કહી દે છે: નાનક કહે છે કે, તમે જ આ અનેક પ્રકારની બહુવિધ રચના રચી છે.’ આ પ્રારંભ-કથનમાં સાર કહી દીધા પછી આખી અષ્ટપદી છવાની અજ્ઞાત ભક્તિના વિધવિધ પ્રકારા વર્ણવે છે. એ બધાને સાર ગીતાકારના શબ્દોમાં કહીએ તો, તે બધા અવળી બુદ્ધિવાળા લોકેાની આશાએ, એમનાં કર્યાં તેમ જ એમનું જ્ઞાન વ્યર્થ નીવડે છે' (અ૦ ૯, શ્લા૦ ૧૨). કારણ, ‘ભૂતમાત્રના મહેશ્વર રૂપ ભગવાનના શ્રેષ્ઠ ભાવને ન જાણીને મૂર્ખ લેાકા મનુષ્ય રૂપ ધારણ કરેલા પરમાત્માની અવજ્ઞા કરે છે.' (અ॰ ૯, શ્લા॰ ૧૧). પરંતુ દરેક પદના ધ્રુવ ભાવ એ છે કે, એ બધામાં જેણે પ્રભુને શ્રેષ્ઠ જાણ્યા ને ભજ્યા તે જ તરે છે. o૦-૨ कई कोटि होए पूजारी । कई कोटि आचार बिहारी ॥१॥ कई कोटि भए तीरथ वासी । कई कोटि बन भ्रमहि उदासी ॥२॥ कई कोटि बेद स्रोते । कई कोटि तपीसुर होते ॥ ३ ॥ कई कोटि आतम धिआनु धारहि । कई कोटि कबि काबि बीचारहि || ४ ||
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy