SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૪ સાચા દૃષ્ટિબિંદુથી જોઈએ તે આ નિદાખ્યાન આત્મલક્ષી જ હાય છે; ભક્ત પેાતાના ચિત્તને જ ઉદ્દેશીને એ કહે છે. સ્રી, ધન આદિ મૂળરૂપે, નિરપેક્ષ રીતે જ એવાં છે એમ ભક્ત નથી કહેતા. પેાતાની સાપેક્ષતાએ જ એ એમની ક્રુડવી નિંદા કરે છે. ( તેમના જીવનમાં તે જોવા નથી મળતી એ એને પુરાવા છે. ) છતાં એની કટુતા ઘણી વાર આજે આપણને ચીતરી ચડાવે છે. ગુરુ અર્જુનના ઉત્ખાધનમાં એ દોષ નહિ દેખાય. આ સંસારને અનેકાનેક ઉપમા અપાય છે. ભવાટવી, ભવસાગર, ભવજળ, માયા, ઈંદ્રજાળ અનેક નામા ભકતોએ તેને આપ્યાં છે. આ ગ્રંથમાં ગુરુ તેને વખર’—વેપારનું ધામ કહે છેઃ जिसु वखर कउ लैनि तू आइआ ... तजि अभिमानु लेहु मन मोलि, राम नामु हिरदै महि तोलि । लादि खेप संतह संगि चालु, अवर ત્તિાનિ વિવિમા નંગારું.....દુવાાહ વિરજા વાવારે (૧૫: ૫) 4. આ સત વેપાર માંડવાના સદેશે। ગુરુ આપતા હતી. વિરક્ત થઈ તે નહિ પણ વેપાર માંડીને, જીવનસંગ્રામમાં ખરાખર મેચા માંડીને, જે સાધવાનુ છે તે સધાશે, એમ એમના પ્રધાન ઉપદેશ હતા. ઉપનિષદકાર કહે છે, नायमात्मा बलहीनेन लभ्यः । એને સાચેા અર્થ પ્રભુમય જીવનના ઉલ્લાસથી છલકતી આ શીખભક્તિમાં આપણને કાંઈક જોવા મળે છે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy