________________
કર્તા પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ મ.જી
(વીંછીયાની દેશી) સુણો શાંતિ-જિનેસર ! સાહિબા ! સુખકાર ! કરુણાસિંધુ રે ! પ્રભુ! તુમ-સમ કો દાતા નહિ, નિષ્કારણત્રિભુવનબંધુ રે સુણો (૧) જસ નામે અખય-સંપદ હોએ, વળી આધિ તણી હોયે શાંતિ રે, દુઃખ-દુરિત ઉપદ્રવ સવિ મિટે, ભાંજે મિથ્યા-મતિ-બ્રાંતિ રે-સુણો (૨) તે રાગ-રહિત પણ રીઝવે, સવિ સર્જન કેરાં ચિત્ત રે નિદ્રવ્ય અને પરમેશ્વરૂ, વિણ નેહે તે જગ-મિત્ત રે-સુણો (૩) તું ચક્રી પણ ભવ-ચક્રનો, સંબંધ ન કોઈ કીધ રે તું તો ભોગી યોગી દાખિઓ, સહજે સમતા-રસ સિદ્ધ રે-સુણો (૪) વિણ-તેડ્યો નિત્ય સહાય છે, તુજ લોકોત્તરઆચાર રે કહે જ્ઞાનવિમલ ગુણ તાહરા, લહિયે ગણવે કિમ પાર રે-સુણો (૫)
૧. વિના કારણે ત્રણે ભુવનના બંધુ ૨. મિથ્યા બુદ્ધિની ભ્રમણા.
૧૪)
૧૪ )