________________
(૫૭૩). મન મારૂં માયાજાળમાં મોહન ! મહા મુંઝાય છે, ચી ચાર ચાર હાથમાં ચેતન ઘણે ચગદાય છે. ૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યા નહિં; જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. ૬ અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તોપણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ? પત્થર થકી પણ કઠણ મારું મન ખરે કયાંથી દ્રવે? મરકટ સમા આ મનથકી હું તે પ્રભુ હાર્યો હવે. ૭ ભમતા મહા ભવસાગરે પામ્ય પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરૂં. કેની કને કિરતાર આ પોકાર હું જઇને કરૂ! ૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યનાં રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા; વિદ્યા ભયે હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું, ૯ મેં મુખને મેલું કર્યું છે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું ચિન્તી નઠારૂં પરતણું. હે નાથ ! મારું શું થશે, ચાલાક થઈ ચુકયે ઘણું, ૧૦ કરે કાળજાની કતલ પીડા કામની બિહામણી; એ વિષયમાં બની અંધ હું વિટંબના પાયે ઘણું;