________________
કર કર્મકાટ સાવિ ટાલવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીરથેશ્વર પ્રણમી, પામીજે મુખવાસ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીરથેશ્વર પ્રણમી, પાતક દૂર પલાય. ૧૦ શ્રદ્ધાભાસન રમણતા, રત્નત્રયીનું હેત; તે તીરથેશ્વર પ્રણમી, ૧ભવ મકરાકર સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યો, જેનું ધ્યાન સુહાય; તે તીરથેશ્વર પ્રણમી, સુર નર જસ ગુણગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ સિધ્યા સાધુ અનેક તે તીરથેશ્વર પ્રણમીયે, આણી હદય વિવેક. ૧૩ ચંદશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ તે તીરથેશ્વર પ્રણમી, પામી જે નિજ દ્ધ ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીરથેશ્વર પ્રણમીયે, ભવજલ તારણ નાવ. ૧૫ સંધયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીરથેશ્વર પ્રણમીયે, છેદી જે ગતિચાર. ૧૬ પુષ્ટિશુદ્ધ સંવેગ રસ, જેને ધ્યાને થાય; . તે તીરથેશ્વર પ્રણમીયે, મિથ્યામતિ સવિ જાય. ૧૭
૧ ભવસાગર તરવા સેતુ સમાન. ૨ સ્વભગિનીને ભેગી. -