________________
૨૪૮
દેવવંદનમાલ.
પિતાને ઘેર જમાડીને શોક દૂર કરાવ્યું. તે દિવસથી કેમ ભાઈ બીજની પ્રવૃત્તિ શરૂ થઈ
આ પર્વમાં આ વદ ચૌદશ તથા અમાવાસ્યાને દિવસે છઠ્ઠ કરીને અષ્ટપ્રકારી પૂજા કરીએ. પચાસ હજાર ફૂલથી શ્રુતજ્ઞાનની પૂજા કરીએ. ગૌતમ સ્વામીને સુવર્ણકમલમાં સ્થાપીને ધ્યાન કરીએ. વીશ જિનનાં પટ આગળ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર અક્ષત એટલે કુલ બાર લાખ અક્ષત મૂકી તેની ઉપર, દી મૂકી શ્રી ગૌતમ સ્વામીનું આરાધન કરવું. આ આરાધનાથી સર્વોત્કૃષ્ટ સંપત્તિ તથા પરંપરાએ પરમ પદ-મેક્ષ મળે છે.
તથા અમાવાસ્યાને દિવસે ઉજમણું કરે, નંદીશ્વર તપ માંડે. તે દિવસે નંદીશ્વર પટની પૂજા પૂર્વક ઉપવાસ કરવો. એમ સાત વર્ષ સુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરે. સાત વર્ષ પૂરાં થાય ત્યારે મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકની અમાવાસ્યાએ ઉજમણું કરવું. નંદીશ્વર દ્વીપના પટ આગળ બાવન પ્રકારનાં પકવાન શ્રીફળ, નારંગી વગેરે બાવન બાવન મૂકવા.
વળી એ દીવાલી પર્વને દિવસે અક્ષતનો સાથી કરી પવિત્ર થઈ શ્રી ગૌતમ સ્વામીને “ » હો શ્રી ગૌતમાય નમ:” એ મંત્રને સાડી બાર હજાર વખત તથા “ હું શ્રી ગૌતમ સુવર્ણલબ્લિનિધાનાય નમ:”એને સાડી બારસે વખત જાપ કરે.