________________
દીવાલી પર્વની કથા.
૨૪૭
લીધે તે રાત્રી ઉદ્યોતવાળી થઈ. તેમ જ “મેરઈયાં મેરઈયાં” એ દેના મુખથી કેલાહલ થયે. તેથી લોકોમાં દીવાના મેરઈયા કરવાની પ્રથા શરૂ થઈ.
હવે શ્રી ગૌતમ સ્વામી દેવેના મુખથી ભગવંતનું નિર્વાણ જાણુને વિચારવા લાગ્યા કે “હે પ્રભુ! મને અંતકાલ વેગળો કાઢયે ! હું તમારે ભક્ત તેને જ તમેએ દૂર કાઢયે. હું તમારા મેક્ષમાં ભાગ તો પડાવવાને નાતે. વીર વીર એ પ્રમાણે બેલતાં બેલતાં વિચાર આવ્યો કે પ્રભુ તે વીતરાગ હતા અને હું તે રાગવાળે છું. વીતરાગને નેહ કયાંથી હોય? મારી જ મટી ભૂલ હતી કે અત્યાર સુધી હું સમજ્યો નહિ. એ પ્રમાણે એકત્વ ભાવનામાં આગળ વધતાં ક્ષપક શ્રેણિમાં ચઢી કેવલજ્ઞાન પામ્યા. આ કારતક સુદ ૧ ની પ્રાત:કાલને સમય હતે.
આ પ્રમાણે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના મેક્ષ કલ્યાણુક નિમિત્તે આ વદ અમાસના દિવસે દીપાલિકા–દીવાળીનું પર્વ લોકોમાં શરૂ થયું. વળી દેઓ તે વખતે ભગવાનને નિર્વાણ મહોત્સવ કર્યો. તથા સુદ પડવાને દિવસે ગૌતમ રવામીને કેવલ મહોત્સવ કર્યો. તેથી લોકોમાં આ દીવાળી પર્વ શરૂ થયું.
પ્રભુનું નિર્વાણ સાંભળીને ભગવંતના ભાઈ નંદિવર્ધન રાજાએ શેકાકુલ થઈને પડવાને દિવસે ઉપવાસ કર્યો. સુદર્શના બહેને કારતક સુદ બીજને દિવસે નંદિવર્ધનને