________________
ટ્વીવાલી પ ની કથા.
૨૪૩
રાત્રીમાં મરણ પામી તું અહીં સ ંપ્રતિ રાજા થયા છે. આ પ્રમાણે તેં ચારિત્રના કારણભૂત સાધુ વેશની અનુમાદના કરી તેનું તને આ ફળ મળ્યું છે. ”
તે વખતે સંપ્રતિ રાજાએ ગુરૂને કહ્યું કે “આપની કૃપાથી મને રાજ્ય વગેરે ઋદ્ધિ મળી છે, માટે તમે તે રાજ્ય ગ્રહણ કરો. ” આચાર્ય મહારાજે કહ્યું કે “ હું રાજા ! અમને તે અમારા શરીર ઉપર પણ મમતા નથી તે રાજ્યને શુ કરીએ. અમારે રાજ્યની ઇચ્છા નથી. એ રાજ્ય તે તમને તમારા પુણ્યથી મળ્યુ છે. પરંતુ હવે ફરીથી પણ તમે સમકિત ધારણ કરો. અને જૈન શાસનની પ્રભાવના કરી ધ ને દીપાવેા. સદ્ગુરૂની પાસે ધર્મ સાંભળેા. દાન શીલ તપ અને ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મ કરો. વળી પ દિવસે તે ધર્મ કરી વિશેષતાથી કરો. ”
ઉપર પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળી સંપ્રતિ રાજાએ ગુરૂને પૂછ્યુ કે “ પર્યુષણાદિક પવ તે જિન આગમમાં પ્રસિદ્ધ છે. પરંતુ દિવાલી પર્વ શાથી થયું ? તે દિવસે લેાકેા નવાં વસ્ત્રો તથા ઘરેણાંકિ શા માટે પહેરે છે તથા દીવાઓ શા માટે કરે છે તેનું સ્વરૂપ જણાવે.”
તે વખતે આ સુહસ્તીસૂરિએ સપ્રતિ રાજાને દિવાળી પુની કથા આ પ્રમાણે કહી:—
“ ભરત ક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિસલા રાણીની કૂખમાં શ્રી વીર-વર્ષ માનસ્વામીને ધ્રુવ