________________
૨૪૨
દેવવંદનમાલા
ગુરૂને ઓળખીને સંપ્રતિ રાજા નીચે આવી ગુરૂને નમીને કહેવા લાગ્યા કે “મને ઓળખે છે?” ગુરૂએ કહ્યું કે “દેશના રાજાને કણ ન જાણે?” રાજાએ કહ્યું કે “હું જાણવાનું કહેતા નથી.” ગુરૂએ શ્રતના ઉપગથી જાણીને કહ્યું કે “તું મારે શિષ્ય હતે.” રાજાએ પૂછ્યું કે “મને ચારિત્ર કેમ ફળદાયી થયું તે હું જાણતા નથી.” .
આચાર્યે કહ્યું કે “હે રાજન! પૂર્વ ભવમાં તું ભિક્ષુ હતે. ભીખ માગવા છતાં તને કઈ ખાવા આપતું નહોતું. એક વાર તું ઘણે ભૂખ્યું હતું પરંતુ તેને કઈ ખાવાનું આપતું નથી. એવામાં ગોચરી લેવા માટે નીકળેલા સાધુઓને તે જોયા. તેઓને લેકે આદરથી બેલાવી લાડવા વગેરે આપે છે, તેથી તે વિચાર કર્યો કે હું ઘેર ઘેર માગું છું છતાં કઈ કાંઈ આપતું નથી અને આ સાધુઓને લેકે આદરપૂર્વક બેલાવીને આપે છે. આ સાધુઓને ઘણા લાડવા મળે છે, માટે હું તેમની પાસે માગું. એમ વિચારી અમારા ઉપાશ્રયે આવીને તે લાડવા માગ્યા. અમે તને કહ્યું કે અમારા જે થાય તે ખાવાનું આપીએ. તેથી ખાવાની લાલચે તેં અમારી પાસે દીક્ષા લીધી. અમે તને લાડવા ખાવા આપ્યા. ઘણે ભૂખે હેવાથી તે હદ ઉપરાંત લાડવા ખાધા. તેથી રાત્રીએ વિષચિકા (ઝાડા, ઉલટી) થઈ. સાધુઓ તથા શ્રાવકે તારી વેયાવચ્ચ કરવા લાગ્યા. તે વખતે તે વિચાર કર્યો કે મને કઈ ખાવાનું પણ આપતું નહોતું, પરંતુ મેં આ વેશ ધારણ કર્યો તે સાધુઓ તથા શ્રાવકે મારી કેટલી વેયાવચ્ચ કરે છે. આ સાધુ વેશ ઘણે ઉત્તમ છે.” આવા શુભ વિચારમાં તેજ