________________
૨૨૦
દેવવંદનમાલા
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન.
(વેલની દેશી. ) શ્રી સિદ્ધાચલ શત્રુંજય, સિદ્ધક્ષેત્ર અભિરામ; દર્શન કરતાં દુરગતિ તૂટે, છુટે બંધ નિદાન; શ્રી રિસહસર પટ્ટ ધુરંધર, અસંખ્યાત નરરાય; શ્રી આદિત્યયશાથી યાવતુ-અજિત જિનેશ્વર તાય. ૧ ચઉદશ ઈગ ઈગ ચઉ દશ ઈણ વિધ, થઈ શ્રેણિ અસંખ્યાત; સિદ્ધદંડિકા માંહે સઘલો, એહ છે અવદાત; સર્વાર્થસિદ્ધને શિવગતિ વિણ, ત્રીજી ગતિ નવિ પામી તિણે પણ એ તીરથ ફરો, વંદે ભવિ શિર નામી. ૨ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દો કોડી મુનિ સંઘાતે; એ ગિરિ સેવ્યાથી શિવગતિ પામ્યા, સકલ કર્મ નિપાતે; શ્રી આદીશ્વર સુતના નંદન, દ્રાવિડ વારિખિલ જાણ; કાર્તિક પૂનમદિન દશકોડી, ઋષિ યુત લહે નિર્વાણ. ૩ અષ્ટાદશ અક્ષહિણી દલના, ચરક જે બલવંત;
૧. એક અક્ષોહિણી સેનામાં ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ અશ્વ અને ૧૦૯૩ ૦ પાયદળ હેાય છે.