________________
ચૌમાસીના દેવવંદન–પં. પવવિજયજીકૃત
ચોમાસી દેવવંદ્મના રચનાર
૫૦ પદ્યવિજયજી. આજ રાજનગરમાં શામળદાસ ( શામળા)ની પળમાં શ્રેષ્ઠી ગણેશ અને તેમની પત્ની ઝમકુ આદશ દંપતી હતા. તેમને ત્યાં સંવત ૧૯૯૨ ના ભાદરવા સુદી ૨ ના દિવસે પુત્રને જન્મ થયો. તેમનું પાનાચંદ નામ રાખ્યું. આ પાનાચંદની છ વર્ષની ઉંમર થતાં તેમની માતા મૃત્યુ પામ્યાં. તેથી તેમની માસી જીવીબાઇની છત્રછાયામાં ઉછરતાં તેઓ ધર્મ સંસ્કાર પામ્યા. માસી સાથે વ્યાખ્યાને જતાં મહાબલ મુનિને અધિકાર સાંભળી વેરાગ્ય પામી સંવત ૧૮૦૫ ના મહા સુદી ૫ ને દિવસે પાછા વાડીમાં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી.
ધાર્મિક, સંસ્કૃત, ન્યાય વગેરેના સારા અભ્યાસ પછી વિદ્વાન પદ્યવિજયજીને રાધનપુરમાં વિક્રમ સંવત ૧૮૧૦ માં તપગચ્છમાં તે વખતના બિરાજમાન આચાર્ય વિજય ધર્મ સૂરિએ પંડિત પદ આપ્યું.
સુરત. બુરાનપુર ઘોઘા, પાલીતાણ, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, સાણંદ, લીંબડી, વિસનગર, રાધનપુર, અમદાવાદ વગેરે સ્થળોએ મુખ્યત્વે તેઓનાં ચાતુર્માસ (માસ) થયાં છે.
તેઓએ તેઓના જીવનમાં સુરત, રાધનપુર, પાટણ, ઘોઘા, પાલીતાણું અમદાવાદ વગેરે ઠેકાણે સેંકડો બિંબની પ્રતિષ્ઠા ઉપધાન ઉજમણું વગેરે કરાવેલ છે. તેમજ ૧ જયાનંદ કેવલી ચરિત્ર ગઘ, ૨ જયાનંદ કેવલીને રાસ સં. ૧૮૫૮, ૩ સમરાદિત્ય કેવલીને રાસ વગેરે ભાવવાહક અનેક પ્રકારનું ગેય [૫] ગુજર સાહિત્ય સર્યું છે. જે આજે પણ અનેક ભવ્ય પુરૂષોમાં કંઠસ્થ થઈ પ્રચાર પામી રહ્યું છે. તેઓ સં. ૧૮૬૨ ના ચિત્ર સુદ –નાં દિવસે પ્રતિક્રમણ બાદ કાળધર્મ પામ્યા.