________________
ચોમાસોની કથા.
પરંતુ નિયમ કર્યો ન હોય તે તેનું ફળ પણ મળતું નથી. (આ બાબતમાં વંકચૂલનું દષ્ટાંત અન્ય ગ્રંથેથી જાણવું.)
વિશેષમાં વર્ષો માસામાં અષ્ટ પ્રકારી પૂજા, દેવવંદન, સ્નાત્ર મહોત્સવ, ગુરૂને વંદન, નવીન જ્ઞાનાભ્યાસ, બ્રહ્મચર્યનું પાલન, ઉકાળેલું પાણી પીવું તથા સચિત્તને ત્યાગ કર, આ વાનાં અવશ્ય કરવાં. આદ્રા નક્ષત્ર બેસે કે રાયણ તથા કેરીને ત્યાગ અવશ્ય કરે. કારણ કે વૃષ્ટિ થવાથી રાયણમાં ઈયળ તથા કેરીના રસમાં તેના રસ સમાન વર્ણવાળા કીટકે ઉત્પન્ન થાય છે. વળી આ વર્ષા માસીમાં બીજા પણ પાપકારી કાર્યોને ત્યાગ કરે અથવા તેમ ન બને તે તેમાં સંક્ષેપ કર.
વિશેષમાં ફાગણ ચોમાસાથી કારતકી પૂર્ણિમા સુધી પાન ભાજી વિગેરે તથા તલને પણ ત્યાગ કરે. કારણ કે તેમાં ઘણુ ત્રસ જીવની વિરાધનાને સંભવ છે.
જે કે ત્રણે માસીઓ યથાયોગ્ય વિધિ વડે આરાધવા ચોગ્ય છે. તે પણ તેમાં શરૂઆતમાં તિથિઓ જેવી. તિથિઓ ત્રણ પ્રકારે છે. તેમાં બે ચતુર્દશી, બે અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ છે ચારિત્ર તિથિઓ (ચારિત્રને આરાધવા
ગ્ય તિથિઓ) છે. બીજ, પંચમી અને એકાદશી એ જ્ઞાન તિથિઓ (જ્ઞાન આરાધવાની તિથિઓ) છે. બાકીની દર્શન તિથિઓ છે. તેમાં દર્શનની આરાધના કરવી
ઉપરાંત છ આવશ્યક તથા પૌષધ વગેરે તેમજ બીજી પણ જે જે બની શકે તે તે ધર્મ ક્રિયાઓમાં વિશેષ ઉદ્યમ રાખવો.
ઈતિ ચેમાસી કથા.