________________
જ્ઞાનપંચમીની કથા.
અતિચાર રહિત લાંબા કાળ સુધી આરાધન કર્યું. અંતે કાળ કરીને તે બંને વિજયન્ત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયા.
ત્યાંથી આયુષ્ય પૂરું કરીને ચવીને વરદત્તને જીવ જબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીમાં અમરમેન રાજાની ગુણવતી રાણીની કૂખને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પૂર્ણ કાલે ઉત્તમ લક્ષણવાળા પુત્રને રાણીએ જન્મ આપે. તેનું શરસેન નામ પાડયું. અનુક્રમે સર્વ કળા ભણીને યુવાવસ્થાને પામ્યા. અનેક કન્યાઓ પર. ત્યાર પછી પિતા પુત્રને રાજ્ય સેંપીને પરલેકમાં ગયા. શ્રી સીમન્વરસ્વામી વિહાર કરતાં એક વાર તે નગરમાં સમેસર્યા. પ્રભુનું આગમન સાંભળીને રાજા વંદન કરવા ગયા. વાંદીને બેઠા તે વખતે શ્રી જિનેશ્વર દેવે ઉપદેશ આપતાં જણાવ્યું કે “હે ભવ્ય જી! તમે જ્ઞાન પંચમીની આરાધના વરદત્તની જેમ વિધિ પૂર્વક કરે. પ્રભુનાં વચન સાંભળી રાજાએ વરદત્તને વૃત્તાંત પૂછશે. તે વખતે પ્રભુએ વરદત્તનો (શૂરસેનના પૂર્વ ભવનો) સર્વ વૃત્તાંત કહીને જ્ઞાન પંચમીનું વિશેષ માહાસ્ય જણાવ્યું. તેથી ઘણું લેકેએ પંચમીનું તપ અંગીકાર કર્યું. શૂરસેન રાજાએ પણ દશ હજાર વર્ષ સુધી રાજ્ય સુખ ભોગવીને અનેક પુણ્ય કાર્યો કરીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એક હજાર વર્ષ ચારિત્ર પાળીને કેવલજ્ઞાન પામી તેઓ મેક્ષે ગયા. ' હવે દેવલેકમાં ગએલ ગુણમંજરીને જીવ આયુષ્ય પૂર્ણ થએ ત્યાંથી ચવીને જબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં