________________
ભાવ ભલી પરે ભાવીયે, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો,એ આઠમો અધિકાર. ધન ૯
ઢાળ સાતમી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણ –એ દેશી. )
હવે અવસર જાણી, કરી લેખણ સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧
ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચી રક: દુલહો એ વળી વળી, અણસણને પરિણામ એહથી પામી, શિવપદ સુરપદ ઠામ. ૨
ધન ધનો શાલિભદ્ર, ખધો મેઘકુમાર,અણસણ આરાધી, પામ્યા ભવન પાર; શિવ મંદીર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો એ, નવમો અધિકાર.
દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવ-સુખ ફલ સુહકાર, એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચિદ પૂરવને સાર. ૪
જન્માંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખો, મંત્ર ન કોઈ સાર; એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર
ભલ ભલડી, અજ રાણી થાય, નવપ્રદ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નાવતી, બેહુ પામ્યા છે