________________
ભાવે ભણો વિદ્યા ભલી, વાંચો પુસ્તક સાર ; નીતિ વધે બહુ દિલમાં ઊપજે શુભ વિચાર. ખબર પડે છે જૂઠની, તેમ જ સત્યની સાર, માટે ભણીને નેહથી, લહો જ્ઞાન વિચાર, રાયની વિનતી સાંભળી, કરો ઉર વિચાર તો તો મળે સુખ સર્વદા રીઝે જગદાધાર.
- સ્ત્રીનીતિબોધક (પ.કૃ.દેવ)
પ૧
- જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે; ' માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
આ દુઃષમ કાળમાં મનુષ્યો મંદ પુણ્યવાળા છે ને આયુષ્ય તેથી ટૂંકું છે. સો વર્ષનું આયુષ્ય તો બહુ થોડા મનુષ્યોને હશે. હવે ટૂંકી જિંદગી છે એમાં તે જંજાળ બહુ વધારી મૂકી છે. આ વિજ્ઞાનવાદનો જમાનો છે એટલે પંચેન્દ્રિયના સુખસગવડના સાધનો, શરીરની શાતાનાં સાધનો વિપુલ પ્રમાણમાં ગોઠવીને જે તેં
૫૫