SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સાચા ઉપાય જીવ શેધતું નથી. જ્ઞાની પુરૂષનાં વચન સાંભળે તે પ્રતીતિ નથી. “મારે લેભ મૂકવે છે, ક્રોધ માનાદિ મૂકવાં છે.” એવી બીજભૂત લાગણી થાય ને મૂકે તે દેષ ટળી જઈ અનુક્રમે બીજજ્ઞાન પ્રગટે. બાહ્ય ઈન્દ્રિયે વશ કરી હોય તે સત્પુરુષના આશ્ર યથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઈદ્રિયે વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઈન્દ્રિયે વશ હેય અને સત્પરૂષને આશ્રય ન હોય તે લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. સપુરૂષો કંઈ સદુઅનુષ્ઠાનને ત્યાગ કરાવતા નથી, પણ જે તેને આગ્રહ થયે હોય છે તે આગ્રહ દૂર કરાવવા તેને એકવાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટયા પછી પાછું તેને તે ગ્રહણ કરવાનું કહે છે. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારૂ પ્રરૂપેલ છે. એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે કિયા ક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેક્ષ તે હેવું જોઈએ. આત્માના અંશે પ્રગટ થવા માટે કિયા વર્ણવી છે, જે ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે, ત્યાગ ઉપર હંમેશાં લક્ષ રાખે. ત્યાગ મેળો રાખે નહીં, શ્રાવકે ત્રણ મરથ ચિંતવવા. સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ તપનાં પેટાં જેનદર્શને પાડયાં છે તે પણ ખરાં છે, આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતાં થતાં કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મ જાળ અટકી પડે છે, વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જે! એને આ સિદ્ધાંત પણ કે ઉત્કૃષ્ટ છે. દ્વાદશ પ્રકારનાં તપ વડે કરીને કર્મએને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. - બાહ્યતા:- ૧ અનશન, અત્યંતરતપ:- પ્રાયશ્ચિત ૨ ઉદરી, ૩ વૃત્તિ સંક્ષેપ, વૈયાવચ વિનય,
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy