________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૮૭ તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માગને, આસનાદિ, સર્વને નમસ્કાર હો! નમસ્કાર હે!
# શાંતિ
શિક્ષાપાઠઃ ૬૯ પાંચ પરમપદ વિષે વિશેષ વિચાર
નમો અરિહંતાણું. નમે સિદ્ધાણું. નમે આયરિયાણું. નમે ઉવજઝાયાણું.
નમે એ સવ્વ સાહૂણું. આ પવિત્ર વાકને નિગ્રંથ પ્રવચનમાં નવકાર, નમસ્કાર મંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર કહે છે.
અહંતુ ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ ગુણ અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા...પંચ પરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમત્કૃષ્ટ છે તે કઈ કઈ? તે કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે કારણ પંચ પરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે, મનની નિગ્રહતા અથે એક તે સર્વોત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્વથી જોતાં વળી અહંત સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, ઉપાધ્યાય સ્વરૂપ, અને સાધુ સ્પરૂપ, એને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે, કારણ કે પૂજવા ગ્ય એઓ શાથી છે? એમ વિચારતાં એએનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સત્પરૂષને તે ખરી અગત્ય છે, હવે કહો કે મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય?
કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહંત ભગવાન; શુદ્ધ રમૈતન્ય પદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન, જ્ઞાન,