________________
૨
એક એક દિન યાવત શત, ઓલી સંખ્યા થાય; કર્મ નિકાચિત તોડવા, વજ સમાન ગણાય. ચૌદ વર્ષ ત્રણ માસની એ, સંખ્યા દિનની વીસ યથા વિધિ આરાધતાં, ધર્મ રત્ન પદ ઈશ.
કર વિભાગ બીજે. ક
સ્તવને. ૧ નેમનાથનું સ્તવન. (૧) તુજ દરિશન દીઠું, અમૃત મીઠું લાગે રે યાદવજી, ખિણ ખિણ મુજ તુજશું ધર્મ નેહે જાગેરે યાદવજી, તું દાતા ગાતા ભ્રાતા માતા તાતરે યાદવજી. તુજ ગુણના મોટા જગમાં છે અવદાતરે યાદવજી, ૧ કાચ રેતી માટે સુરમણે છાંડે કુણરે યાદવજી, લઈ સાકર મૂકી કુણ વળી ચુકી લુણરે યાદવજી; મુજ મન ન સુહાયે તુજ વિણ બીજો દેવ યાદવજી, હું અહનિફી ચાહું તુજ પય પંકજ સેવરે યાદવજી. ૨ સુરનંદન હૈ બાગ જ જિમ રહેવા સંગરે યાદવજી, છમ પંકજ ભૂંગા શંકર ગંગા રંગ રે યાદવજી; જીમ ચંદ્ર ચકોર મેહા મેશ પ્રીતિ રે યાદવજી. ૩ મેં તુમને ધાર્યા વિસાર્યા નહિ જાયા રે યાદવજી, દિન રાતે ભાતે થાઉં તે સુખ થાય રે યાદવજી;