________________
સહુ કહે આંબીલને તપ કીધે રે, સાઠ હજાર વરસ પ્રસિહોર જાઓ તમે બેનડી દીક્ષા પામેરે, ઋષભદેવનું કુળ અજવાળારેભવિ.
ભરતરાયની પામી શિક્ષા રે, સુંદરીએ તવ લીધી દીક્ષા રે, કર્મ ખપાવીને કેવલ પામી રે, કાન્તિવિજય પ્રણમે રિર નામીરે. ભવિ.
૩૩ મૂર્ખને પ્રતિબંધની સજઝાય. જ્ઞાન કદી નવિ થાય, મૂરખને જ્ઞાન કદી નહિ થાય; કહેતાં પણ પિતાનું જાય, મૂરખને. (એ આંકણું) ૧ થાન હોય તે ગંગા જળમાં, સો વેળા જે નહાય, અડસઠ તીથે ફરી આવે પણ, શ્વાનપણું નવિ જાય. મુ. ૨ ફૂર સર્પ પયપાન કરતાં, સંતપણું નવ થાય કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય મૂરખને૦૩ વર્ષ સમે સુગ્રીવ તે પક્ષી, કપિ ઉપદેશ કરાય તે કપિને ઉપદેશ ન લાગ્યો, સુગ્રીવ ગૃહવિખરાય. મૂરખને૦ નદી માંહે નિશદિન રહે પણ પાષાણપણું નવિ જાય; લેહધાતુ ટેકણ જે લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખને. ૫ કાગ કંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાયન થાય. મૂરખને ૬: સિંહ ચમ કઈ શિયાળ સુતને, ધારે વેષ બનાય. શિયાળ સુત પણ સિંહ ન હૈ, શિયાળપણું નવિ જાય.
મૂરખને. ૭