SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. ': ૬ પુણ્ય તથા પાપને બંધ તત્વમાં સમાવી શકાય છે, કેમકે જે બંધ પડે છે તે પુણ્યનો અથવા પાપનો. બધા એટલે ગાંઠ. એકનું બીજા સાથે સંલગ્ન થવું તે બંધ કહેવાય છે. લગ્ન ગ્રંથીથી ઓળખાતા વરકન્યાને લગ્ન સંબંધ તે એક પ્રકારનો બંધ છે. લગ્નવિધાન ચાર મંગળ ફેરાથી વિહિત છે. તેની જેમ કમ સાથે જીવનું લગ્ન યાને બંધ વિધિ ચાર પ્રકારે વિહિત છે. પ્રકૃતિ રીતિ અનુભાગ એટલે રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ છે. કર્મ બાંધનાર જીવ આ ચારે જાતના બંધ બાંધે છે. કર્મ બાંધતાં તેને સ્વભાવ, તેનું કાલ પ્રમાણે તેની ચિકારા અને પુલ પરમાણુની સંખ્યા એ સઘળું એકી સાથે બંધાય છે. જે સ્વભાવ તે પ્રકૃતિ, જે. રથીતિ તે કાળ પ્રમાણ, જે અનુભાગ તે ચિકાશ અને જે પ્રદેશ તે પુદગલ પરમાણુની સંખ્યા. કર્મ બંધનાં કારણ ઉપર કહી જ ગયા તે મિથ્યાત્વે કષાય અવિરતિ અને યોગ. ૭ મિથ્યાત્વ એ અજ્ઞાન છે. દરેક જન્મ ધારીને એ એણવાની શક્તિ રવાભાવિક હોય છે. કારણ કે પ્રાણીમાત્રને નિગોદીઆને પણ, અક્ષરને અનંત ભાગ સદા ઊઘાડે ખુલ્લો હેાય છે. આ જાણવાની શક્તિ સઘળા જીવોની એક સરખી નથી હોતી. મોટા ભાગને અવાસિત શક્તિ હોય છે. જ્યારે બાકીના બહુ અલ્પ ભાગને વાસિત જાણવાની શક્તિ હોય છે. જે અવાસિત શક્તિ તે અજ્ઞાન અને વાસિત શક્તિ તે શાને. દારૂને ધડ દારૂની વાસનાથી અપવિત્ર અપૃશ્ય થાય
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy