________________
૧૨૦
માન અપમાન ચિત્તસમ ગણે, સમ ગણે કનક પાષાણુ, વંદક નિંદક સમ ગણે ઈ હેયે તું જાણુ. શાંતિ. ૯ | સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે મુક્તિ સંસાર બહુ સમગણે, મુણે ભવ જળનિધિ નાવરે શાં-૧૦
આપણે આતમભાવ જે, એક ચૈતનાધાર રે અવર સવિસાથે સગથી,એહનિજ પરિકર સાર રે.શાંતિ૧૧
પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે, તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્ધાં સવી કામ રે. શાંતિ.૧૨
અહો અહે હું મુજને કહું, ન મુજ નમો મુજ રે અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજને શાંતિ૧૩
શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિન ભૂપરે શાંતિ-૧૪
શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ. ૧૫
૮૮ શ્રી કુંથુનાથ સ્વામીનું સ્તવન. (૧૭) રોગ ગુર્જરી. અંબર દેહે મોરારી, હમારે–એ દેશી.
કુયુજિન, મનડું કિમહી ન બાજે, હે કું, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાજે. હે કું. ૧
રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણે ન્યાય, હો કું૨
મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;