________________
( ૧૧e જિ. ઘનનામી આનંદઘન સાંભળે, એ સેવક અરદાસ,
જિ. ધર્મ ૮ ૮૭ શ્રી શાંતિનાથ સ્વામીનું સ્તવન. (૧૬) રાગ મહાર. ચતુર ચોમાસું પડિકકમીએ દેશી.
શાંતિ જિન એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે શાંતિ સ્વરૂપ કિમ જાએ, કહે મન પરખાયરે. શાંતિ. ૧
એ આંકણું. ધન્ય તું આતમા જહને, એહ પ્રશ્ન અવકાસ રે; ધીરજ મન ધરી સાંભળો કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ. ૨
ભાવ અવિશુદ્ધિ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવરે. શાંતિ
આગમધર ગુરૂ સમકિતી, કિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધારરે. શાંતિ૪,
શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળરે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલરે શાંતિ૫
ફલ વિસંવાદ જેહમાં નહી, શબદ તે અર્થ સંબંધી રે; સકલ નય વાદ વ્યાપી રહ્યા તે શિવ સાધન સંધીરે. શાંતિ૬
વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે, રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, આગમે બેધરે શાંતિ
દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજ સુગુરૂ સંતાન રે; જોગ સામ ચિત્ત ભાવ જ ધરે મુગતિનિદાન છે. શાંતિ. ૮)