SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ 'હે દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર ! આપની અમે શી પ્રશંસા કરીએ ?. 'માત્ર આપની દેશના જ નહિ, આપના જીવનની. 'પ્રત્યેક ઘટનાઓ સ્યાદ્વાદનો ઉપદેશ દેનારી છે. અંધારી મધરાતે, અડાબીડ જંગલમાં આપ કાઉસ્સગ્ગ મુદ્રામાં, ' ઉભા છો. હૃદયમાં નિર્મળતમ પરિણતિ ઝળકી રહી છે. ' તો દેહમાં કાયોત્સર્ગની પ્રવૃતિ છે. ના અંતરમાં નિશ્ચયનય નું સામ્રાજય પ્રર્વતે છે, 'તો બહાર શરીરને કઠોર કષ્ટ દેતો વ્યવહારનય હસી રહ્યો છે. ચિત્તમાં સૂક્ષ્મતમ પદાર્થોના ચિંતનરૂપ જ્ઞાન વિકસે છે, ' તનમાં ઉપસર્ગો પરીષહો સહેવાની ક્રિયા ઝળકે છે. ઓ સિધ્ધાર્થનંદન ! 'પરમાણુમાં મનને એકદમ સ્થિર કરીને આપ દ્રવ્યાનયોગનું 'ચિંતન કરો છો, આપની અપ્રમતતા દ્વારા " કેટલો કાળ વીત્યો, તો કેટલો કાળ રાત્રિનો બાકી.. ' એ બધું જ બરાબર જાણી આપે ગણિતાનુયોગને આત્મસાત્ કરી લીધો છે. 'કાયોત્સર્ગ, અપ્રમત્તતા, નિર્મમત્વ વિગેરે સર્વોત્તમ સાધનાના ' અંશો વડે આપે ચરિતાનુયોગને રોમે રોમે પ્રસરાવ્યો છે. 'આપની આ સાધના હજારો વર્ષો સુધી અબજો જીવોને ધર્મકથા ' રૂપે અત્યંત શ્રેષ્ઠકક્ષાનું માર્ગદર્શન પુરૂ પાડશે. 'ઓ વીર ! આપ સ્યાદ્વાદમય.! આપની દેશના સ્યાદ્વાદમય ! આપનું શાસન સ્યાદ્વાદમય ! 'માત્ર નાનકડી એક અધુરપને આપ જ દૂર કરી આપજો, 'આપનો શ્રમણસંઘ પણ સ્યાદ્વાદી, અનેકાન્તવાદી, 6 ' રાગ-દ્વેષરહિત, મધ્યસ્થ, ચૌદરાજલોકને ' હદયમાં સમાવનારો સાચા અર્થમાં બને એવી 146510 'અનરાધાર કૃપાવૃષ્ટિ વરસાવજો. એ સ્યાદવાદના પ્રતીકરૂપે જે આજે એક અજેનગ્રન્થ જૈનશ્રમણ પ્રકાશિત કરી રહ્યો છે. 'આ ગ્રંથ આપના કરકમલમાં સમર્પિત કરતા 'આ જૈનશ્રમણ અત્યંત ઓનંદ અનુભવે છે. gyanmandingkobatirth.org પં. ચન્દ્રશેખરવિજ્ય
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy