________________
અત વ ‘યત્કિંશ્ચિત્ એકાભાવ' નો અમે પ્રવેશ કર્યો છે એટલે પૂર્વે તો ધૂમાભાવ સામાન્યતઃ લીધેલો અને તદીયપ્રતિયોગિતાશૂન્ય ઘટમાં ધૂમત્વની અવૃત્તિ લઈ તેને અવચ્છેદક બનાવી દઈને ધૂમવાનુ, વર્તે: સ્થલીય અતિવ્યાપ્તિ દૂર કરી હતી. પણ જો કોઈ કહે કે સામાન્યાભાવ (ધૂમસામાન્યાભાવ) માનવામાં કોઈ પ્રમાણ નથી. તો હવે અમે ધૂમસામાન્યાભાવ તો લઈ શકીએ નહિ. પણ તમાભાવ જ લેવાય. તદીયપ્રતિયોગિતાશૂન્ય અન્ય ધૂમ બને. તેમાં ધૂમત્વ વૃત્તિ જ હોવાથી તે અવચ્છેદક ન બને. ત‰મત્વ અવૃત્તિ જ હોવાથી તે અવચ્છેદક બને અર્થાત્ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ધૂમત્વ બનતા વળી અતિવ્યાપ્તિ આવે. આ અતિવ્યાપ્તિ દૂર કરવા માટે જ અમે આગળ જઈને સામાન્યાભાવની સિદ્ધિ કરવાના છીએ. અને તેનાથી ધૂમત્વને જ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનાવી અતિવ્યાપ્તિ દૂર કરવાના છીએ.
जागदीशी : तथा च धूमसामान्याभावस्यैव हेतुसमानाधिकरणस्य प्रतियोगिता. सामान्यशून्ये घटादौ अवृत्त्या धूमत्वस्यावच्छेदकत्वमिति भावः ।
અમારો કહેવાનો આશય એ છે કે જો અહીં ‘યત્કિંચિત્ એકાભાવ' પદ ન હોય તો તો અમે અહીં જ તમાભાવ તમાભાવ તમાભાવ સઘળાંય યાવવિશેષાભાવ લઈ લેત ! તેના ફૂટની પ્રતિયોગિતા સામાન્યશૂન્ય કોઈ ધૂમ તો ન જ બને. (કેમકે ત ્ તધ્મમાં તતધ્માભાવીયપ્રતિયોગિતા તો મળી જ જાય છે.) પટાદિ બને. ત્યાં ધૂમત્વ અવૃત્તિ હોવાથી જ અવચ્છેદક બની જાય એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અહીં જ અતિવ્યાપ્તિ દૂર થઈ જાત. (સામાન્યાભાવ એટલે યાવત્વિશેષાભાવકૂટ) અને તેથી આગળ ઉપર સામાન્યાભાવની સિદ્ધિ કરવામાં વૈયર્થ્ય આવતા અસંગત અગ્રિમ ગ્રન્થ થઈ જાય.
=
હવે યત્કિંચિત્ એકાભાવ પદ લેવાથી તમાભાવ જ એકાભાવ લેવાનું અનિવાર્ય બનતાં અતિવ્યાપ્તિ આવે, જેને આગળ ઉપર સામાન્યાભાવની સિદ્ધિથી દૂર કરવાનું સમર્થન યથાર્થ ઉપપન્ન થઈ જાય.
આ રીતે પ્રથમ પૂર્વપક્ષીએ તથાવિધયત્કિંચિત્ એકાભાવપ્રતિયોગિતાસામાન્યશૂન્યાવૃત્તિત્વ રૂપ અનતિરિક્તવૃત્તિત્વ લઈને ‘અનતિરિક્તવૃત્તિત્વ' ને અવચ્છેદક સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં પણ જયાં અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૭