SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ GR VERSસત્સંગ-સંજીવની SRESS () પત્ર-૪૫ સાયલા જેઠ વદ ૧૧, શુક્ર, ૧૯૫૩ શ્રીમદ્ પરમાત્માશ્રી સદ્ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર, પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ સદ્ગુરુશ્રી, સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં હે પ્રભુ ! બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય, પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઇ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેનો એકનિષ્ઠાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એક જ ક્રમ એ જોઇ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. - જેઠ વદ ૧૦ ગુરુવારે ૭ વાગ્યાની સ્થિતિ મેં નિવેદન કરી છે તે પછી ભાઇ મણીલાલે પુછયું કે આપ એક જ સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણનો લક્ષ રાખજો. ત્યારે પોતે કહ્યું કે મને એક જ લક્ષ છે બીજો નથી. પણ હવે તમે મને કંઇ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈ તમે બોલો તેમાં મારે જુવાબ આપવામાં લક્ષ આપવો પડે છે તેથી મને ખેદ રહે છે. એવી પોતે વાત કરી. જેથી કાંઇ પણ એમની સમીપમાં કહેવું બંધ રાખ્યું. | દશ વાગતાં માથાશ્વાસ થયો. અત્યંત પીડા છેવટની વખતની પોતે ભોગવવા માંડી. તેથી દશ અને અડતાલીશ (૧૦ને ૪૮) મીનીટે મારા મનમાં એમ થયું કે વધારે દુ:ખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય એમ ધારી ધારશીભાઇની સલાહ લઇ મેં ‘સહજાત્મસ્વરૂપ' સ્વામી એવું એક છે અને ત્રણવાર નામ દીધું એટલે પોતે બોલ્યા “હા, એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી. હું સમાધિભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઇ કહીશ નહીં. કારણ કે મને ખેદ રહે છે.” એટલા વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું અને ૧૦ ને | ૫૦ મીનીટે પોતે દેહનો ત્યાગ કર્યો. તે તે વખતે ૧૦ને ૪૮ મીનીટે પોતે ભાષણ કર્યું તે ગળકા ખાઇને તૂટક તૂટક શબ્દ પણ અક્ષર ચોકખો બોલાય પણ જાણે ઇન્દ્રિયો સાવ મરી ગઇ હોય અને માંહીથી આત્મા બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કહ્યા તે વચનો પરમ કૃપાભાવે પોતાના મુખમાંથી બહાર કાઢ્યા. એવી અનંત દયા કરી. ર ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછ્યું કે આપે ભવનું કાંઈ નક્કી કર્યું ? ત્યારે પોતે કહ્યું કે હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં.... તેથી છેવટના સમયે, અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો તો આજ ભવે મોક્ષ. નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે. ત્યારે મણીલાલે પૂછયું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની મને ખબર કેમ પડે? ત્યારે પોતે કહ્યું કે – એક, બે મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી તે આપની સેવામાં નિવેદન કરૂં છું. દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય એટલા સારૂં વખતે વખતે ઉપયોગ આપવાનું થતું તો પોતે કહે કે વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ ન હોય ! એ જ મારો લક્ષ છે. ૫૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy