________________
સત્સંગ-સંજીવની
પવિત્ર આજ્ઞાના આશયને હું મંદમતિ નહીં સમજવાથી અવજ્ઞા કીધી હોય, તેમજ સમીપવાસી અથવા સમીપમાં આવેલા મુમુક્ષુઓ પ્રત્યે કોઇપણ પ્રકારે મારી સમજણની ભૂલ્યે સ્વકલ્પનાએ નિજ ઇચ્છાએ આપ સદ્ગુરુદેવની અનાદરતા રાખી કોઇ પણ આપના પવિત્ર વચનના યોગને મેં દુભવ્યો હોય અથવા તેથી ન્યૂનાધિકપણે કે વિપરીતપણે મારી અલ્પજ્ઞમતિથી કાંઇ જણાવ્યું હોય અથવા તે તે ભાઇઓ પ્રત્યે મારાથી કોઇપણ પ્રકારે ન્યૂનાયિક સ્થિતિનો દોષ મારા આત્મામાં પ્રાપ્ત થયો હોય, તથા વળી ક્રોધે કરી, માને કરી, માયાએ કરી, લોભે કરી કે અન્ય દોષે કરી મારી મહત્તા મેં જણાવી હોય, તથા તેવા બીજા અનેક પ્રકારના દોષો મારી અલ્પજ્ઞતાની પ્રબળતાથી, મન, વચન, કાયા કે આત્માના કોઇપણ યોગાધ્યવસાયથી જે જે પ્રકારે થયા હોય, તે તે સર્વે હું દુષ્ટ પામર કંગાલ બાળક વારંવાર ચરણસેવામાં સવિનય મસ્તક નમાવી નમસ્કાર કરી, મારા કૃત્યને વારંવાર ધિક્કારું છું. ક્ષમાપના ઇચ્છું છું. અને હવે પછી તેવા તેવા પ્રકારના કોઇપણ પ્રકારના દોષ મારા મને કરીને, વચને કરીને, કાયાથી કરીને કે આત્માથી કરીને અથવા અન્ય કોઇપણ પ્રકારથી ક૨ીને હવે પછી તેવા તેવા કોઇપણ પ્રકારના દોષો મને પ્રાપ્ત ન થાઓ અર્થાત તેવા દોષોના પ્રસંગો હવે પછી ન બનો, એવો ભાવ સદૈવ રહેવાના પ્રસંગને વારંવાર ચિત્તમાં પ્રાપ્ત થવા ઇચ્છું છું. તેમજ આપ પરમ કૃપાળુદેવે પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, કેવળ આત્માનંદી, નિષ્કામી, નિર્વિકારી, સહજાનંદી, સહજ સ્વભાવે સ્થિત છો એ ભાવ સદૈવ મારા હૃદયને વિષે સ્થાપિત રહો. અને પવિત્ર કૃપાળુદેવનું પવિત્ર સ્મરણ, ‘શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી', એ વચનનું અને એ ગુણનું સદૈવ સ્મરણ મારા અંતઃકરણમાંથી ન ખસો એજ આપ પરમકૃપાળુદેવ પાસે વારંવાર ઇચ્છું છું. eine Thee Bay કોઇપણ પ્રકારે અવિનયાદિક ભાવે, સ્વેચ્છાએ, અયોગ્ય લખાયું હોય તે વારંવાર ક્ષમાવું છું. મારા યોગ્ય પવિત્ર આજ્ઞા ઇચ્છું છું.
ISISન
અલ્પજ્ઞ દીનદાસનો દાસ પામર અંબાલાલના સવિનય નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય. વિ. અલ્પજ્ઞ પામર છોરૂ મનસુખના સવિનય પ્રણામ પ્રાપ્ત થાય. (જવાબ વ. ૮૦૫)
(G) 13
Ple પત્ર-૩૭
ખંભાત
આસો સુદ દશેરા, ભોમ, ૧૯૫૩
}
શ્રીમદ્ સદ્ગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમ કૃપાવંત, પરમ દયાવંત, પરમોપકારી, અનાથના નાથ, અશરણના શરણ, દીનબંધુ, દીનાનાથ, દેવાધિદેવ, શ્રીમદ્ પ્રભુશ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી સદૈવ જયવંત વર્તો અને ત્રિકાળ મારા અભિવંદન હો. 6IX
૪૧
પરમકૃપાનુગ્રહથી ભરેલો પરમ પવિત્ર શુભ પત્ર પ્રાપ્ત થયેલ છે. (વ. ૮૧૦) જે વાંચી પરમ કલ્યાણકારી અને આનંદનો લાભ થયો છે. એવી જ રીતે આ બાળક ઇચ્છે છે. હે પ્રભુ ! દીનદયાળુ દેવ આ મૂઢની દશા હમણાં ઘણીજ બાહ્યરૂપ થઇ ગઇ છે. ઉપાધિ વિશેષ નહીં હોવા છતાં ચિત્ત સાવ પ્રવૃત્તિરૂપ વર્તે છે, અને સત્શાસ્ત્ર વાંચવા વિચારવાનું વખતે યાદ આવી જાય છે. એવી અસ્થિર દશાથી શું લખવું ? શું ન લખવું ? એમ થવામાં કાળ વ્યતીત થતાં, પત્ર લખવામાં વિલંબ થયો છે. જે માટે મારી ધિક્કારવા યોગ્ય વૃત્તિએ કરીને વારંવા૨ ક્ષમાપના ઇચ્છું છું.
02 300